ૐ પુણ્યાહં પુણ્યાહં…ના ગગનભેદી નાદ સાથે થઈ વેસુ શ્રી અભય પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા

સુરત : વૈશાખ સુદ સાતમ, ૨૩ એપ્રિલના ગુરૂવારે સુરત-વેસુનું વિશાળ આગમોદ્ધારક ધાનેરા આરધના ભવન પ્રભુભકતોથી ઉભરાઈ ઉઠયું હતું. કારણ વર્ષોની પ્રતીક્ષા પછી આજે મૂલનાયક શ્રી અભય પાર્શ્વનાથ દાદા ગાદીનશીન થવાન હતા. છ માળના ભવ્ય, વિશાળ ઉપાશ્રયનાં પ્રાંગણમાં અદ્દભુત કોતરણીયુકત દેવવિમાન જેવું નયનરમ્ય જિનાલય નિર્મિત થયું છે. સંધસ્થાપક પૂ. આ. સાગરચંદ્ર સાગર સૂરિજીના મંગલ માર્ગદર્શનથી આ દેરાસર અનેક વિશિપ્તાઓથી યુકત બન્યું છે. જેમાં નવેય ગ્રહના અદિપતિ પ્રભુજી, સિદ્ધચક્ર, સિહાચલ શિલા તથા ૩૦૦૦ વર્ષ પ્રાચીન આદિનાથ દાદા છે.
બાવન વીર, ૬૪ જોગણી યુકત મણિભદ્રજી તથા નાકોડાભેરુજી, પદ્માવતી માતા, અંબિકાદેવી-ક્ષેત્રપાલ બિરાજિત છે. મહાલક્ષ્મી, સરસ્વતી વગેરે સાથે ગૌતમ સ્વામી-પંચપ્રસ્થાન, ૨૪ તીર્થંકરના ૨૪ ગણધર તથા સુરતના ઉપકારી પૂ. સાગરજી મહારાજ પણ બિરાજમાન છે. પરિકરમાં સાગર સમુદાયના તમામ ગચ્છાધિપતિશ્રીની છબી સ્થાપિત છે.

આવા ભવ્ય જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠાર્થ ૧૪૦ થી વધુ શિષ્ય-પ્રશિષ્યોના સ્વામી, સિહંસત્વના સ્વામી પૂ. આ. અશોક સાગર સૂરીશ્વરજી મ.સા. તથા પ્રવચન પ્રભાવક આ. સાગરચંદ્ર સાગર સૂરિ, આ. પૂર્ણ ચંદ્રસાગર સૂરિ, આ. સૌમ્યચંદ્રસાગર સૂરિ, આ. વિવકેચંદ્ર સાગર સૂરિ તથા ૨૩ એપ્રિલના વહેલી સવારે આચાર્યપદ પામનારા નૂતન આચાર્ય તીર્થચંદ્રસાગર સૂરિજી આદિ અનેક પૂજયો તથા સા. વિજેતાશ્રીજી-યશસ્વિનીશ્રીજી – વિનીતયશશ્રીજી મ. વગેરે પધાર્યા હતા.
સમગ્ર જિનાલયનો મુખ્ય લાભ વર્ષાબેન શરદભાઈ મેહતા પરિવારે લીધો હતો. અભય પાર્શ્વનાથ પ્રભુ ૐ પુણ્યાહં ના નાદ સાથે આજ પરિવારે પ્રતિષ્ઠિત કર્યા હતા. સાથે જિનાલયના મુખ્ય દ્વાર – અભય દ્વારનો લાભ શારદાબેન જગજીવનદાસ શાહ ચાણસ્મા તથા ધર્મદ્વારનો લાભકમળાબેન બાબુલાલ શાહ વિઠોડાવાળો એ લીધો, પાંચ લાખ થી વધુ મંત્રિત અક્ષતનો નાભિનાળમાં લતાબેન પ્રમોદભાઈ શાહના હાથે સ્થાપિત કરાયા હતા.

આવી ભવ્ય પ્રતિષ્ઠાથી સમગ્ર વેસુ સંઘમાં અપૂર્વ આનંદ-ઉલ્લાસ વત્યોં હતો, આજુબાજુના જશ, હેપ્પી એલેન્ઝા, જોલી, એટમોસ્ફીયર, એકસેલેન્સીયા, ફિયોના બિલ્ડીંગવાળા મન મૂકીને વરસ્યા હતા. શુક્રવારે વહેલી પરોઢે દ્વારોદ્દઘાટન કરી મંદિર દર્શનાર્થે ભાવુકો જોડાયા હતા.



