ધર્મ દર્શનસુરત

અષાઢી બીજે સુરતમાં જગન્નાથજી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

વિદેશી શ્રદ્ધાળુઓ મૃદંગ અને મંજીરાના તાલે ઝૂમ્યા; ઠેર-ઠેર ભવ્ય સ્વાગત અને મહાપ્રસાદનું વિતરણ

સુરત: સૂર્યનગરી સુરત અષાઢી બીજે સંપૂર્ણપણે હરિનામ સંકીર્તન અને ભક્તિના રંગે રંગાઈ ગઈ છે. અષાઢી બીજના પાવન પર્વે સુરત ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. સમગ્ર રૂટ પર ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું.

સુરત રેલવે સ્ટેશનથી પ્રારંભ થયેલી રથયાત્રામાં ‘જય જગન્નાથ’ અને ‘હરેક્રિષ્ના’ ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હજારો ભક્તોની ઉપસ્થિતિમાં મહાઆરતી બાદ સોનાની સાવરણીથી રથ સાફ કરવાની પહિંદ વિધિ બાદ હર્ષોલ્લાસ અને જય જગન્નાથના જયઘોષ સાથે

આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી સ્વયં ભક્તોને દર્શન આપવા નગરમાં પધાર્યા હતા. ભક્તોએ દોરડા વડે ભગવાનનો રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી. યાત્રાના માર્ગમાં ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ અને વેપારી મંડળો દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. રથયાત્રામાં ભક્તિ સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી હતી.

ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીના રથની સાથે વિવિધ ભજન મંડળીઓ, ધૂન મંડળો અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર લાખો ભક્તો માટે વિશેષ મહાપ્રસાદની બુંદી અને ખીચડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને વિદેશી સાથે હરિભક્તો મૃદંગ અને મંજીરાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

શાંતિ અને સૌહાર્દના વાતાવરણ વચ્ચે સુરતના રાજમાર્ગો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રામાં આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થાનું સુચારૂ સંચાલન કરાયું હતું. સીસીટીવી અને ડ્રોન કેમેરાથી સમગ્ર યાત્રા પર નજર રાખવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button