ધર્મ દર્શન
વર્ષીતપના 423 તપસ્વીઓ ના શાહી પારણા

સુરત : શ્રી ઉમરા જૈન સંઘ ખાતે 423 વર્ષીતપના તપસ્વીઓ ના 400 દિવસની ઉગ્ર અને કઠિન વર્ષીતપના 423 તપસ્વીઓ ના શાહી પારણા સરસાણા ડોમમાં યોજવામાં આવ્યા હતા જેમાં 15,000 થી વધુ જનમેદની પારણા મહોત્સવમાં પારણા કરાવવા પહોંચ્યા હતા.

આ. શ્રી કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજા, આ.શ્રી પૂર્ણચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજા આ .શ્રી. રશ્મિરાજ સુરીશ્વરજી મહારાજા આદિ ની પાવન નિશ્રામાં યોજાયેલ આ તપ ધર્મ ના પારણા મહોત્સવ ખુબ જ ઉલસાસ પૂર્વક પૂર્ણ થયેલ હતો



