સુરત

સુરતના ઉદ્યોગ સાહસિકો અને નિકાસકારોને વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવા માર્ગદર્શન અપાશે

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાની આગેવાનીમાં મિશન ૮૪ના કો–ઓર્ડીનેટર સંજય પંજાબી, મિશન ૮૪ના સીઇઓ પરેશ ભટ્ટ તથા મિશન ૮૪ની કોર કમિટીના સભ્યો કોમલ કુમાર શાહ, અરવિંદ બાબાવાલા અને દેવાંગ રાવ સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે તા. ૧૪ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે હોટેલ મકર્યુરી સુર્યા પેલેસ, વડોદરા ખાતે બરોડા એકિઝમ ક્લબના પ્રમુખ ગુરુચરણ બ્રહ્મભટ્ટ તથા સેક્રેટરી જનરલ નિમ્મી સેબેસ્ટનની સાથે મુલાકાત કરી હતી.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, બરોડા એકિઝમ ક્લબના પ્રમુખ તથા સેક્રેટરી જનરલને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંગે વાકેફ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતથી એક્ષ્પોર્ટને વધારવા માટે મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રયાસ કરી રહયું છે. જેના અંતર્ગત ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોના ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે.

મિશન ૮૪ અંતર્ગત ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે. આ ઉપરાંત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો યોજાઇ રહી છે, આથી તેમણે બરોડા એકિઝમ ક્લબના પ્રમુખને મિશન ૮૪ની સાથે જોડાવા માટે અનુરોધ કર્યો હતો.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, બરોડા એકિઝમ ક્લબ એન્જિનિયરિંગ અને કેમિકલ ક્ષેત્રે વિવિધ પ્રોડકટને ભારતથી એક્ષ્પોર્ટ કરનારા ઉદ્યોગ સાહસિકો અને નિકાસકારોને ટ્રેઇનીંગ આપવાનું કામ કરે છે, આથી આ કલબના પ્રમુખ સહિતના હોદ્દેદારો સાથે થયેલી મિટિંગમાં સુરતના ઉદ્યોગકારો અને નિકાસકારોને સુરતથી વિવિધ પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવા માટે તેમજ તેઓને જરૂરી ટ્રેઇનીંગ આપવા માટે ચર્ચા વિચારણા થઇ હતી.

મિશન ૮૪ અંતર્ગત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને બરોડા એકિઝમ કલબ વચ્ચે આગામી દિવસોમાં એક્ષ્પોર્ટ વધારવા માટે અને ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે સમજૂતિ કરાર કરવામાં આવશે. જેના ભાગ રૂપે બરોડા એકિઝમ કલબ હોદ્દેદારો તેમજ એક્ષ્પોર્ટ નિષ્ણાંતો દ્વારા સુરતના ઉદ્યોગ સાહસિકો તેમજ નિકાસકારોને સુરતથી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કઇ રીતે કરી શકાય? તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સુરતના નિકાસકારોની જે કંઈ પણ મુશ્કેલીઓ હશે તેનું પણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

મિશન ૮૪ની કોર કમિટીના સભ્ય કોમલ કુમાર શાહે સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ મિટીંગનું સમાપન થયું હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button