બિઝનેસ

અદાણી જૂથની ભગીરથ પહેલ: દહાણુના અંતરિયાળ ગામને બનાવ્યું ‘જલ-નિર્ભર’

સામાજિક ઉત્તરદાયિત્વના સંકલ્પ સાથે અદાણી ફાઉન્ડેશન અને અદાણી દહાણુ થર્મલ પાવર સ્ટેશન (ADTPS) દ્વારા પાલઘર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે. દહાણુના દેહણે-પાલે ગામમાં પીવાના શુદ્ધ પાણીની વિકટ સમસ્યાને દૂર કરવા માટે એક અત્યાધુનિક વોટર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેણે વર્ષોથી પાણી માટે વલખાં મારતા ગ્રામજનોના જીવનમાં નવી આશા જન્માવી છે.

ભૌગોલિક રીતે દરિયાઈ ખાડીની નજીક હોવાને કારણે, દેહણે-પાલે ગામમાં ડિસેમ્બર મહિનો આવતા જ ભૂગર્ભ જળ અત્યંત ખારા થઈ જાય છે. શુદ્ધ પાણીના અભાવે ગામની મહિલાઓને માથે હેલારા ઉપાડીને કાળઝાળ ગરમીમાં જોજનો દૂર સુધી ભટકવું પડતું હતું. ગ્રામ પંચાયતની રજૂઆતને ગંભીરતાથી લઈ, અદાણીની CSR ટીમે તાત્કાલિક સર્વે હાથ ધર્યો અને રેકોર્ડબ્રેક સમયમાં આ શુદ્ધ જલ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.

તાજેતરમાં આયોજિત એક કાર્યક્રમમાં ADTPS દ્વારા આ પ્રોજેક્ટ વિધિવત રીતે ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરપંચ શ્રી દત્તાત્રય ભોંડવાએ કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ અમારા ગામ માટે આશીર્વાદ સમાન છે. અદાણી ફાઉન્ડેશને ખારાશ વચ્ચે મીઠી વીરડી ઉભી કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.”

આ પ્રસંગે સ્થાનિક મહિલાઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પાણીની તંગીને કારણે અમારો અડધો દિવસ રઝળપાટમાં જતો હતો. હવે ઘર આંગણે જ શુદ્ધ પાણી મળતા અમારો શારીરિક શ્રમ ઘટશે અને પરિવારના સ્વાસ્થ્યની પણ રક્ષા થશે. અદાણી ગ્રુપના આ સહયોગને અમે ક્યારેય નહીં ભૂલીએ.”

ADTPS ના પ્રવક્તાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય માત્ર ઉર્જા ઉત્પાદનનો જ નહીં, પણ જે વિસ્તારમાં અમે કાર્યરત છીએ ત્યાંના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આ વોટર પ્રોજેક્ટ ગ્રામીણ સમુદાયના સશક્તિકરણ અને સુખાકારી પ્રત્યેના અમારા મક્કમ સંકલ્પનું પ્રતિક છે.”

અદાણી જૂથની આ પહેલથી દેહણે-પાલે ગામ હવે શુદ્ધ પીવાના પાણી મામલે આત્મનિર્ભર બન્યું છે. શુદ્ધ પાણી મળવાને કારણે જલજન્ય રોગોમાં ઘટાડો થશે અને ગ્રામીણ જનજીવન વધુ સુખમય બનશે. ‘ગ્રોથ વિથ ગુડનેસ’ના મંત્રને વરેલું અદાણી ગ્રુપ માત્ર ઉદ્યોગમાં જ નહીં, પરંતુ સમાજ નિર્માણમાં પણ અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટથી દેહણે-પાલે ગામ હવે ‘જલ-નિર્ભર’ બન્યું છે, જે સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય તરફનું એક મોટું પગલું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button