ધર્મ દર્શન
આજે સરસાણા ડોમમાં 250 તપસ્વીઓના વર્ષીતપના પારણા કરાશે
![](https://divyagujarati.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-08-at-17.47.11-scaled.jpeg)
સુરત: જૈનો આધ તીર્થંકર આદિનાથ પ્રભુએ દીક્ષા બાદ સળંગ 400 દિવસ નિર્જળા ઉપવાસ કર્યા હતા. અબજો વર્ષ પછી પણ આજે આ કલિકાળમાં પણ તેમના તપનું અનુકરણ 400 દિવસના એકાંતરા ઉપવાસ દ્વારા જૈનો કરે છે. વેસુ આગમોદ્વારક ધાનેરા આરાધના ભવનમાં સામુહિક વર્ષીતપ પ્રવચન પ્રભાવક આચાર્ય સાગરચંદ્ર સુરીશ્વરજીની પ્રેરણાથી વર્ષ પૂર્વે પ્રારંભાયા હતા.
ગુરુવારે 250 તપસ્વીનું પુંજણું તથા એક વર્ષ સુધી ખડેપગે સેવા આપનારા કર્મઠ કાર્યકર્તાઓ તથા ઉદારદિલ દાનવીરોનું શ્રીફળ-મોમેન્ટો, પુજાની જોડથી બહુમાન કરાયું હતું. બપોરે બહેનોની સાંજીના કાર્યક્રમમાં 1500થી વધુ બહેનોએ વિશાળ ઉપાશ્રય હોલને સાંકડી બનાવ્યો હતો. આજે અખાત્રીજના દિવસે 10 હજાર લોકોની હાજરીમાં સરસાણા ડોમ ખાતે 250 તપસ્વીઓના પારણાં કરાવાશે. તેમજ સુવર્ણગીની બહુમાન કરાશે.