ધર્મ દર્શન

સંસારમાં જન્મેલો કોઈ જીવ સામાન્ય નથીઃ પંડિત પ્રદીપ મિશ્રા

ડિંડોલી ખરવાસા ખાતે આયોજિત કથાના પ્રથમ દિવસે લાખો શિવભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડ્યા

સુરત : સુરતની ભૂમિ પર ખરવાસા સ્થિત વેદાંત સિટી ખાતે આયોજિત ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનો આજે ગુરુવાર 16મી ડિસેમ્બરના રોજ આયોજક પાટીલ પરિવાર દ્વારા વ્યાસપીઠ પૂજન સાથે પ્રારંભ થયો હતો. કથાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.

પંડિત પ્રદીપ મિશ્રાએ મંચ પરથી કહ્યું કે ભગવાન શંકરજીને હૃદયમાં રાખશો તો દુનિયાની નકામી વસ્તુઓ પ્રવેશી શકશે નહીં. જો ખાલી રહે તો કામ, વાસના, આસક્તિ, ક્રોધ અને લોભ આવે. તમારી અંદર શિવ પ્રત્યેની તમારી શ્રદ્ધાને મજબૂત બનાવો. સુરતમાં રહીને કપિલ મુનિએ તપસ્યા કરી હતી અને ભગવાન શિવને પણ કપિલ મુનિને તાપીના કિનારે દર્શન આપવા પડ્યા હતા.

ગુજરાતના બે હીરા દિલ્હીમાં બેઠા છે

તેમણે કહ્યું કે સુરતને ડાયમંડ સિટી કહેવાય છે અને ગુજરાતના બે હીરા દિલ્હીમાં બેઠા છે. જેમ ભારત માતાની આંગળીમાં બે વીંટી છે, તેવી જ રીતે ભારત માતાની આંગળીમાં ગુજરાતના બે હીરા મોજૂદ છે. એક મોદી અને બીજા અમિત શાહ. સિંહને કોઈએ રાજા નથી બનાવ્યો, તે પોતાની શક્તિ, ડહાપણ, બુદ્ધિમત્તા, શક્તિ, શ્રેષ્ઠતા અને સમર્પણને કારણે જંગલનો રાજા બને છે. કાશીના ગંગા ઘાટ પર બેસીને ભગવાન શિવ પાર્વતીને કહે છે, આ દુનિયામાં જન્મેલો કોઈ પણ પ્રાણી સામાન્ય નથી, તે તેના પર નિર્ભર છે કે તે રાજા બનશે કે ફકીર. વ્યક્તિએ તેના બળનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ, પરંતુ આજકાલ ખોટી જગ્યાએ બળનો ઉપયોગ કરવામાં આવે છે. આ દુનિયામાં એવું કોઈ કામ નથી જે કરી ન શકાય, તમારે ફક્ત તમારી અંદર વિશ્વાસ હોવો જરૂરી છે.

સાકર અને સંત બંને સમાન છે

પાર્થિવ લિંગની પૂજા કરવાથી હજારો અશ્વમેધ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. સાકર અને સંત બંને સમાન છે. જ્યાં સાકર પડે છે ત્યાં મધુરતા આવે છે અને જ્યાં સાક્ષાત સંત બેસે છે ત્યાં ભગવાનની ભક્તિ પાછળ છોડી દે છે. દેખાવ, શણગાર, બધું નકામું છે. ભગવાન શંકરને પામવા માટે માત્ર હૃદય અને મનની જરૂર છે. આયોજક સુનિલ પાટીલ, સમ્રાટ પાટીલ પરિવાર સહિત ધારાસભ્ય મનુ પટેલ, સોમનાથ મરાઠે, અજય બિલ્ડર, અશોક પાડુરંગ પાટીલ, પ્રદીપ ચૌધરી, અશોક કમલ પાટીલ, હિતેશ પાટીલ, સુરેન્દ્ર સંદીપ રાજપૂત, મુકેશ, સરપંચ જશપાલસિંહ સહિતના આગેવાનોએ આરતી ઉતારી હતી.

ભજનો પર ઝૂમી ઊઠયા શ્રદ્ધાળુઓ

કથા સાંભળતી વખતે કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ ઓ મેરે ભોલે તેરા સહારા હૈ, મેરી નૈયા કા તુ કિનારા હૈ વગેરે ગીતો અને ભજનો ગાઈને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભજન સાંભળીને અનેક ભક્તો ભાવુક બની ગયા હતા. અનેક ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button