સુરત

ઈદે મિલાદુન્નબી ના જુલૂસનું કોર્પોરેટર અરશદ જરીવાલા દ્વારા ભવ્ય સ્વાગત

સુરત: ઈદે મિલાદુન્નબી ના પાવન અવસર નિમિત્તે નીકળેલા જુલૂસનું સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર અરશદ જરીવાલા દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

જુલૂસના રૂટ પર સાફ-સફાઈ, સ્વચ્છતા અને જરૂરી નાગરિક સુવિધાઓ સુચારુ રીતે જળવાઈ રહે તેમજ સમગ્ર આયોજન વ્યવસ્થિત રીતે થાય તે માટે કોર્પોરેટર અરશદ જરીવાલા દ્વારા અગાઉથી સતત આયોજન કરવામાં આવ્યું હતું. મનપાના વિવિધ વિભાગોની ટીમ સાથે સતત સંપર્ક અને સંકલન રાખી જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરાવવામાં આવી હતી.

જુલૂસના રૂટ પર સ્વચ્છતા સહિતની જરૂરી વ્યવસ્થાઓ અંગે મનપાની ટીમ સાથે સતત સંકલન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે ઈદે મિલાદુન્નબી ના જુલૂસ માટે જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે થઈ શકી હતી.

આ પ્રસંગે વિસ્તારના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મનપાની ટીમ દ્વારા પણ જુલૂસનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોર્પોરેટર અરશદ જરીવાલાએ સુરત મહાનગર પાલિકાના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, જુલૂસના સફળ અને શાંતિપૂર્ણ આયોજનમાં મનપાની ટીમ દ્વારા આપવામાં આવેલ સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાહેર તહેવારો અને ધાર્મિક પ્રસંગો દરમિયાન વિસ્તાર સ્વચ્છ રહે, નાગરિકોને કોઈ અગવડ ન પડે અને તમામ વ્યવસ્થાઓ સમયસર થાય તે માટે મનપાની ટીમ સાથે સતત સંકલન કરીને કામગીરી કરાવવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર, શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button