સુરત

વડનગરથી વારાણસી જનાર ‘સેવા સંકલ્પ કળશ યાત્રા’નો સુરતથી શુભારંભ

તાપી મૈયાનું જળ લઈને ઉનાઈ થઈ વડનગર પહોંચશે બાઈક યાત્રા, હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરાશે

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સુરત મહાનગરથી ‘સેવા સંકલ્પ કળશ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભાજપ કાર્યાલય ખાતેથી ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગર અધ્યક્ષ પરેશ પટેલ અને મહામંત્રી દુર્ગાપ્રસાદ પાંડેની ઉપસ્થિતિમાં યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

યાત્રામાં પવિત્ર તાપી નદીનું જળ ‘સેવા સંકલ્પ કળશ’માં લઈ બાઈક રેલી ઉનાઈ જવા માટે રવાના થઈ હતી. ઉનાઈથી યાત્રા વિવિધ ગામડાઓમાંથી પસાર થઈ વડનગર પહોંચશે. આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના સુરત મહાનગર અધ્યક્ષ બીપીનભાઈ તળાવિયા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આશરે 25 બાઈક સાથે ટીમ ઉનાઈ તરફ રવાના થઈ હતી, જ્યારે સુરતના અન્ય વિસ્તારોમાંથી પણ કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક લઈને ઉનાઈ ખાતે પહોંચશે.

વડનગરમાં હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક

ભાજપ સુરત મહાનગર અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, “પવિત્ર તાપી નદીનું જળ લઈને આ યાત્રા ઉનાઈ થઈ વિવિધ ગામડાઓમાંથી પસાર થઈ વડનગર પહોંચશે. ત્યાં હાટકેશ્વર મહાદેવ મંદિરે તાપી જળથી જળાભિષેક કરવામાં આવશે.” ત્યારબાદ કળશ યાત્રા વડનગરથી વારાણસી જવા માટે રવાના થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button