ધર્મ દર્શન

સુરત માં 31st ની ‘પારુલ ગૌ સેવા જીવદયા’ તરફથી અનોખી ઉજવણી

31st ની ઉજવણી માં લોકો આંધળી દોટ મુ્કી પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ કરે છે: નટુભાઈ કાછડીયા

સુરત માં મોટા વરાછા વિસ્તારમાં 31st નિમિતે પારુલ ગૌ સેવા જીવ દયા ટ્રસ્ટ તરફથી આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં તમામ ગૌ સેવકો એ પોતાના માતા પિતાની પૂજા આરતી કરી. આરતી કરતા સમયે પુત્રો અને માતા પિતાઓ ભાવુક થયા હોવાના દ્રશ્યો સર્જાયા. અંદાજે 2500 થી વધુ ગૌ સેવકો એ એક સાથે પોતાના માતાપિતાની પૂજા અર્ચના કરી સમાજ ને ઉમદા મિસાલ પુરી પાડી હતી.

પારુલ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ નાં નટુભાઈ કાછડીયા નાં જણાવ્યા અનુસાર, ‘અમે સમાજ ને એક વિશિષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ. 31st ની ઉજવણી માં લોકો આંધળી દોટ મુ્કી પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ કરે છે ખોટા તાયફાઓ કરે છે, ખોટા વ્યસનો કરે છે, એના કરતા આપણી ગૌ માતા કે આપણા પોતાના માતા પિતા ની સેવા કરવાં જેવી ઉજવણી બીજી કોઈ નથી.

ઋષિ મુનિઓએ પણ માતા પિતા ની સેવા ને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. શાસ્ત્રો માં પણ લખ્યું છે કે ગૌસેવા એ જ પ્રભુસેવા છે. માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે અને આને વધુ ને વધુમાં પ્રસારવાનો પ્રયત્ન કરીશું.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button