યશોકૃપા નગરીવેસુ ખાતે શક્તિપાતોત્સવ પદ પ્રદાન ઉત્સવનું આયોજન
સુરતઃ શ્રી સિદ્ધિપથ ઉપધાન મધ્યે શ્રી વેસુ સમસ્ત શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ ઉપક્રમે શક્તિપાતોત્સવ પદ પ્રદાન ઉત્સવનું આયોજન અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર શ્રી યશોકૃપા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં મંગલકારી નિશ્રા ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા., સ્વાધ્યાયરત પ.પૂ.આ.ભ.શ્રી રાજપુણ્ય સૂરીશ્વરજી મા.સા., સંઘસ્થાપક પ.પૂ.આ.ભ.શ્રી ભાગ્યેશ સૂરીશ્વરજી મ.સા.
આચાર્યા પદવી,ઉપાધ્યાય પદવી, ગણી પદવી પ્રદાન
મુનિ શ્રી મહાયશવિજયજી મ.સા.ની ગણી-પંન્યાસ-આચાર્ય પદવી, પં. શ્રી મોક્ષેશવિજયજી મ.સા.ની ઉપાધ્યાય પદવી,
મુનિ શ્રી હીંકારરત્નવિજયજી મ.સા. ની ગણિ પદવી, મુનિ શ્રી તત્ત્વરુચિવિજયજી મ.સા. ની ગણિ પદવી, મુનિ શ્રી યોગરુચિવિજયજી મ.સા. ની ગણિ પદવી, મુનિ શ્રી અર્હધ્યાનવિજયજી મ.સા. ની ગણિ પદવી માં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રી યશોકૃપા નગરી, બલર ફાર્મ, વેસુ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું