સુરત

ચોર્યાસીના સણિયા કણદે તળાવ ખાતે ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ૫૧ હજાર દીવાઓ પ્રગટાવાયા

સુરત : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ચોર્યાસી તાલુકાના સણિયા કણદે તળાવ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ યોજાયો હતો.

આ અવસરે ૫૧ હજાર દીવાઓ પ્રગટાવી વડાપ્રધાનના સ્વસ્થ, દીર્ઘાયુ અને યશસ્વી જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દીવાઓના અજવાળાથી સમગ્ર તળાવ પરિસર દિવ્ય અને અલૌકિક વાતાવરણથી ઝળહળી ઉઠ્યું હતું.

આ પ્રસંગે મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ છેલ્લા ૨૫ વર્ષથી જનકલ્યાણ અને રાષ્ટ્રસેવાને સર્વોપરી માનીને કાર્ય કર્યું છે. તેમના સમર્પિત નેતૃત્વ હેઠળ દેશે વિકાસ અને સુશાસનના નવા આયામો સર કર્યા છે. ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન પ્રત્યેની લાગણી, શુભેચ્છા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, કલેક્ટર તેજસ પરમાર, સરપંચ જશપાલસિંહ સોલંકી સહિતના મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો અને ગ્રામજનોએ દીવા પ્રગટાવી પ્રકાશમય ઉજવણી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button