શ્રીમતી એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સનું ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ

સુરત શહેરની અગ્રણી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એલ.પી .સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025-26 માટે ઉત્કૃષ્ટ અને ગૌરવપૂર્ણ પરિણામ નોંધાયું છે. વિદ્યાર્થીઓએ માત્ર શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કર્યા નથી પરંતુ સમગ્ર સુરત શહેરમાં શાળાનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે આ પ્રસંગે શાળાના આચાર્યએ અને ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે અભિનંદન અને શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
ફરી એકવાર ઉચ્ચ પરિણામ મેળવીને એલ.પી .સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના 139 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તેમજ શાળાના 232 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. 92 વિદ્યાર્થીઓ વિવિધ વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃતમાં 100/100 માર્ક મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ વિદ્યાર્થીઓની મહેનત, શિસ્ત અને લગનના કારણે આ પરિણામ શક્ય બન્યું છે. શાળાના શૈક્ષણિક માહોલ ગુણવત્તાસભર શિક્ષણ અને નિયમિત માર્ગદર્શનના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે.
શાળાના આચાર્યશ્રી ડૉ. ક્ષિતિજ એમ. પટેલ સહિત તમામ આચાર્યશ્રીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ પરિણામ માત્ર આંકડાઓનું પ્રતિબિંબ નથી પરંતુ વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોની પ્રતિબદ્ધતા અને વાલીઓના સહકારનું જીવંત ઉદાહરણ છે. દરેક વિદ્યાર્થીએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પરિણામ પ્રદર્શન કર્યું છે જે અમારા માટે ગૌરવની બાબત છે આજના યુગમાં સ્પર્ધા ખૂબ આગળ વધી રહી છે. ત્યારે અમારા વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ અને શિસ્તથી આગળ વધીને આ સિદ્ધિ હંસલ કરી છે”
શાળા હંમેશા સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ નૈતિકમૂલ્યો જીવનકૌશલ્ય અને વ્યક્તિત્વવિકાસ માટે પણ અમે સતત પ્રયત્નશીલ છીએ.
શાળાના ટ્રસ્ટી માવજીભાઈ સવાણી સર, વાઇસ ચેરમેન ડૉ.ધર્મેન્દ્ર સવાણી સર તથા ડિરેક્ટર પૂર્વીબેન સવાણી દ્વારા પોતાના અભિનંદન સંદેશમાં જણાવવામાં આવ્યું કે,” શ્રીમતી એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ માટે આ ગૌરવની ક્ષણ છે. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને સંકલ્પ શક્તિથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમે તમામ વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન પાઠવીએ છીએ અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ સફળતા પાછળ શિક્ષકોનો અવિરત પ્રયત્ન અને વાલીશ્રીઓનો વિશ્વાસ મુખ્ય આધાર છે.
તેમણે આગળ જણાવ્યું કે,”શાળા દ્વારા અપાતી આધુનિક સુવિધાઓ ટેકનોલોજી આધારિત શિક્ષણ અને અનુભવી શિક્ષકમંડળના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળે છે ભવિષ્યમાં પણ અમે આવી જ શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. શાળાનો મુખ્ય ધ્યેય પરીક્ષામાં સારું પરિણામ લાવવાનું સાથે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે ઘડવાનું પણ છે” આ પરિણામ એ સાબિત કરે છે કે એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કુલ એ પોતાની યથાર્થતા અને વિશ્વસનીયતા પણ જાળવી રાખી છે.
આ વર્ષે શાળાના અનેક વિદ્યાર્થીઓએ વિષયવાર શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યા છે ખાસ કરીને ગણિત, , વિજ્ઞાન,સંસ્કૃત વિષયમાં અનેક વિદ્યાર્થીઓએ પૂર્ણ ગુણ પ્રાપ્ત કરીને શાળાનું નામ ઉજાગર કર્યું છે સાથે જ ગુજરાતી, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનમાં પણ ઉત્તમ પરિણામ નોંધાયું છે.
વિદ્યાર્થીઓએ પોતાની સફળતા માટે શિક્ષકો અને માતા-પિતાનો આભાર વ્યક્ત કર્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે,”શાળામાં મળતું માર્ગદર્શન અને નિયમિત પરીક્ષણો અમને વધુ સારી પ્રેરણા આપે છે શિક્ષકો હંમેશા અમારી શંકાઓ દૂર કરીને અમને આગળ વધવા માટે મદદ કરે છે”શાળા સંચાલન દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને વધુ સારા શૈક્ષણિક અવસર ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સ્માર્ટ ક્લાસરૂમ, અનુભવી શિક્ષકો અને સંસ્કારસભર વાતાવરણ દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ આપવામાં આવશે.
શિક્ષકમંડળે પણ આ સિદ્ધિને પોતાની મહેનતનું ફળ બનાવીને આનંદ વ્યક્ત કર્યો છે શિક્ષકોએ જણાવ્યું વિદ્યાર્થીઓની લગન અને મહેનતને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું એ અમારી ફરજ છે”
શાળાએ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓના આયોજન કર્યું હતું સમયાંતરે લેવાતી યુનિટ ટેસ્ટ, રિવિઝન ક્લાસ અને પરીક્ષાપૂર્વેની તૈયારી માટે વિશેષ આયોજનથી વિદ્યાર્થીઓને ખૂબ લાભ મળ્યો છે.
વાલીઓએ પણ શાળાના પ્રયત્નોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે,” શાળા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કરે છે અહીં માત્ર અભ્યાસ જ નહીં પરંતુ બાળકના સમગ્ર વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે”
આ પ્રસંગે શાળામાં ઉજવણીનું વાતાવરણ જોવા મળ્યું હતું વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો અને શિક્ષકો સાથે આ સફળતાનો આનંદ વહેંચ્યો હતો.
શ્રીમતી એલ. પી .સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા પ્રાપ્ત થયેલા આ ઉત્કૃષ્ટ પરિણામ સમગ્ર સુરત શહેર માટે ગૌરવની બાબત બની રહ્યું છે. શાળાના આચાર્યશ્રી,ટ્રસ્ટીશ્રી શિક્ષકમંડળ, વિદ્યાર્થીઓ અને વાલીઓના સંયુક્ત પ્રયત્નો દ્વારા સફળતા શક્ય બની છે. શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.



