રત્નોની ખાણની સરકાર સુરક્ષા કરે સન્માન નહિ વેસુમાં રત્નોને જન્મ દેનારા રત્નકુક્ષી માતા-પિતાના સન્માનને ૧૦૮ ગ્રંથોના ઉદ્ઘાટન

આપણી સંસ્કૃતિ આપણો દેશ ગુરૂપ્રધાન રહ્યો છે. શ્રી રામના માથેય ગુરૂ હતા તો રાજા કુમારપાળના માથેય ગુરૂ હતા પણ ગુરૂસંસ્થાના મૂળમાં માતા-પિતા છે. એમણે જ પોતાના સંતાનોને ધર્મશાસનને સોંપ્યા – સમર્પિત કર્યા. એટલે આજે એ ધન્ય રત્નકુક્ષી માતા-પિતા જેમણે પોતાના દિકરા-દિકરીને શાસનને આપ્યા છે એ ધન્ય રત્નકુક્ષી માતા-પિતાના બહુમાનનો રજવાડી કાર્યક્રમ ગચ્છાધિપતિ આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં નૂતન ગચ્છાધિપતિ બનનારા આ. શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજાના પદપ્રદાન નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમ થયો એમાં વિરાટ ડોમ નાનો પડી ગયો, જંગી જનમેદની ભર ગરમીમાં ઉમટી હતી તો વહેલી સવારની ગુલાબી ઠંડીમાં વિરાટ મેદાનમાં કલ્પના બહાર યુવાનો ભાઈ-બેનો
ગચ્છાધિપતિ – આચાર્યોને સાધુ-સાધ્વીજી ભગવંતો પધાર્યા હતા.
કુમાર ચેટર્જીએને અતુલભાઈ (C.A.) એ સૌને નવકારમય બનાવી દીધા ને ગચ્છાધિપતિ પદ પર રોજ ૧
બાધા પારાની માળા ગણવાના સંકલ્પો લઈ ચરણે ધર્યા હતા. અદ્ભુત માહોલ ને સૌને મુખપર ચારે બાજુ એક જ વાત ને ચર્ચા થતી હતી. જીભે – જીભે અનુમોદનાને રેકોર્ડ એક સાથે ૧૦૮ થી વધુ ગ્રંથો તાડપત્રી ગ્રંથો – હસ્તલિખીત શાસ્ત્રોને પૂર્વ મહાપુરૂષોના ગ્રંથોને નૂતન ગચ્છાધિપતિ બની રહ્યા છે તે જાણે કોરોનાના સમયમાં ૫૦૦ દિવસમાં ૩૫૦ સ્ટોરીઓ લખીને ૫૦ પ્રસાદીનો સેટને નાના-નાના સાધુ-સાધ્વીજી ભગવંતોએ રચેલી સંસ્કૃત ટીકાને અનેક નવ્ય પુસ્તકોના ઉદ્ઘાટન સુરત મહાજન-મહાસંઘ ને અનેક લાભાર્થી પરિવારોએ કર્યા ત્યારે સૌના હૃદય પ્રભુના શાસન પર ઓવારી ગયા હતા.
શ્રુતજ્ઞાનની અનેક વિવિધતાને વિશિષ્ટતા સાંભળતા સૌ આશ્ચર્યને આનંદથી ભરાય ગયા હતા. અનેક મહાત્મા, સાહિત્યકાર ને લેખકોની પ્રસ્તાવનાથી સભર પૂ. ગુરૂદેવ શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજાના પુસ્તકોએ જબરજસ્ત ઐતિહાસિકતા સ્થાપી હતી. ભક્તિ સંધ્યામાં ૩ હજારથી વધુ યંગસ્ટરોએ ૧૨ વાગ્યા સુધી ધૂમ મચાવીને બાલસિંગરો માટે વન્સમોરના નારા લગાવી પ્રભુ ભક્તિમાં ઝુમી ઉઠ્યા હતા. વેરી ફર્સ્ટ ટાઈમ લોન્ચ થનારા સિકંદર ને સિકંદરના ડ્રામા માટે સુરતવાલાઓએ દેશના અનેક પ્રદેશોથી પધારેલા ભાવિકો એ હાઉસ ફૂલનો માહોલ સર્જ્યો હતો.
આજે ઐતિહાસિક ગચ્છાધિપતિ પદવી જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી આદિ અનેક મંત્રીઓ કેબીનેટ મંત્રી – મહારાષ્ટ્રના મંત્રીઓ પણ પધારશે. ૩-૩ ગચ્છાધિપતિશ્રીઓને ૩૬-૩૬ આચાર્ય મહારાજો
હજાર સાધુ-સાધ્વીજી મહારાજાની ઉપસ્થિતિમાં અનેક કાર્યક્રમો સાથે પદવી સંપન્ન થશે. આખુ સુરત ગુરૂભક્તિમાં જોડાશે .



