સુરત

સુદેશ જગદીપ ધનખડ લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી

સુરત, ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ જી ધનખડ બુધવારે સુરત પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પત્ની શ્રીમતી સુદેશ જગદીપ  ધનખડ પણ સુરત આવ્યા હતા. સુદેશ જગદીપ જી ધનખડ સુરત પહોંચ્યા બાદ પાંડેસરા ખાતે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી હતી. તેમનું સ્વાગત લક્ષ્મીપતિ ગ્રુપના ડિરેક્ટર સંજય સરાવગીએ કર્યું હતું.

શ્રીમતી સુદેશ ધનખડ  એ આ સમય દરમિયાન સાડી બનાવવાની પ્રક્રિયાને નજીકથી સમજી. તેણે પોતાના માટે સાડીઓ પણ લીધી હતી. આ દરમિયાન તેમણે મિલના કારીગરો, ખાસ કરીને મહિલા કામદારોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. મિલ દ્વારા કારીગરોને અપાતી સુવિધાઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે લક્ષ્મીપતિ પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button