એજ્યુકેશન

શ્રી સ્વામિનારાયણ અકેડમીનું ૧૦૦ % રીઝલ્ટ

સુરતઃ શ્રી સ્વામિનારાયણ અકેડમીની સિધ્ધિ સતત તેરમાં વર્ષે પણ CBSE ધોરણ-12 સાયન્સ અને કોમર્સ માં અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ અકેડમી એટલે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ. છેલ્લા ૨૫ વર્ષોથી અવિરતપણે શિક્ષણ દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવાના હેતુથી શાળાના ટ્રસ્ટી, આચાર્ય તેમજ સ્ટાફમિત્રો સમર્પિત રહે છે. શિક્ષણમાં પ્રતિવર્ષ પ્રતિદિન અવનવા પ્રયોગો-પધ્ધતિઓ દ્વારા શિક્ષણને રસપ્રદ અને બાળકોને રૂચિકર બનાવવાના ઈનોવેટીવ પ્રયાસ સતત કરવામાં આવે છે.

છેલ્લાં ૨૫ વર્ષથી સતત ધો.૧૦ અને ધો. ૧૨ માં ૧૦૦ % રીઝલ્ટ આપવામાં શાળા સફળ રહી છે. કોવિડ જેવી અતિ કપરી પરિસ્થિતિમાં પણ આચાર્ય, શિક્ષકગણ અને વાલીના સહિયારા પ્રયાસ અને સહકારથી દ્વારા વિદ્યાર્થીઓએ પ્રથમ વખત ઓનલાઈન પરીક્ષા આપી ખૂબ જ સારું પરિણામ મેળવ્યું હતું.

આચાર્યા  પાત્રા મેમ, સુપરવાઇઝર શ્રીમતિ પાલમેમ તથા સમસ્ત શિક્ષકગણના પરિશ્રમ અને પ્રોત્સાહનથી આ વર્ષે પણ ધો.૧૨ સાયન્સ અને કોમર્સનું ૧૦૦ % પરિણામ આવેલ છે. કુલ ધો.૧૨ ના ૧૫૯ વિદ્યાર્થીઓમાંથી પર વિદ્યાર્થીઓ A1 Grade માં તથા ૧૩૫ જેટલા વિદ્યાર્થીઓ First Classs સાથે ઉત્તીર્ણ થયેલ છે.

શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લમદાસજીએ સમસ્ત વિદ્યાર્થીગણ,શિક્ષક ગણ, વાલીઓને શુભેચ્છા તથા શુભાશિષ પાઠવેલ છે. સંચાલકશ્રી દિનેશભાઈ ગોંડલિયા તેમજ હિંમતભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફમિત્રો અને વાલીમિત્રોને તેમના યોગ્ય સંકલનથી જ સારામાં સારું પરિણામ મેળવી શકાયું. જે બદલ સોને શુભેચ્છા પાઠવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button