સુરત

 એકલ શ્રીહરિ સત્સંગ સમિતિ : સીએ મહેશ મિત્તલ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા

સુરત , એકલ શ્રીહરિ સત્સંગ સમિતિની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સુરતના સીએ મહેશ મિત્તલને સર્વાનુમતે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.એસ. એન. કાબરાએ તેમને નોમિનેટ કર્યા હતા. આ પ્રસંગે દેશભરમાંથી પધારેલ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

સીએ મહેશ મિત્તલે આ જવાબદારી લેતા જણાવ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના અનેક શહેરો અને ગામડાઓમાં એકલ શ્રીહરિના ચેપ્ટર ખોલવાનો અને લોકોમાં ધર્મ અને રાષ્ટ્રીયતા પ્રત્યે લગાવ પેદા કરવાનો રહેશે. તેમણે કહ્યું કે આપ સૌના સહકારથી આ જવાબદારી મળી છે અને આ જવાબદારી આપ સૌની છે.

સંસ્થાના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે આપનો સંપૂર્ણ સહકાર પણ મળતો રહીશ. આ પ્રસંગે એકલ શ્રીહરિ સત્સંગ સમિતિ સુરતના રતનલાલ દારુકા, રમેશ અગ્રવાલ, વિશ્વનાથ સિંઘાનિયા, અશોક ટીબરેવાલ, કપીશ ખાટૂવાલા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button