ગુજરાત

વડોદરાની કોયલી વિદ્યામંદિર સ્કૂલ ખાતે હિંદુ જનજાગૃતિ સમિતિદ્વારા ‘ક્રાંતિગાથા’ પ્રદર્શનનું સફળ આયોજન

વડોદરા : વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશ્યથી વડોદરામાં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી રજની પાઠક દ્વારા ‘ક્રાંતિગાથા પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું.  ૧૩ ઓગસ્ટ, ગુરુવારના રોજ કોયલી સ્થિત ‘કોયલી વિદ્યામંદિર સ્કૂલ’ (તા. જિ. વડોદરા) ખાતે આ પ્રેરણાદાયક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

હિંદુ જનજાગૃતિ સમિતિના સંતોષ આળશી જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં શાળાના ૨૬૫ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ક્રાંતિગાથા પ્રદર્શનનો લાભ ઉઠાવ્યો હતો. આ પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓએ દેશના ક્રાંતિકારીઓના જીવન અને તેમના સર્વોચ્ચ બલિદાન વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ સરાહનીય આયોજનની પ્રશંસા કરતા કોયલી વિદ્યામંદિર (માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ) ના આચાર્યશ્રીએ સમિતિને એક પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. જેમાં તેમણે નોંધ્યું હતું કે, “હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત કરેલા આવા કાર્યક્રમોથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ જરૂરથી જાગૃત થાય છે. ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ માટે વારંવાર આવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે તેવી અમારી વિનંતી છે.”

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button