ધર્મ દર્શનસુરત

સુરત જૈન સંઘના ‘રત્ન’સિદ્ધાચલ તીર્થ ભક્તિમાં વો સમાધિ વરેલા વિનોદ શાહની અલવિદા

અંતિમ યાત્રામાં પાઠશાળાના યુવાનો સહિત જનમેદની ઉમટી : વેસુ વિજયાલક્ષ્મી હોલ ખાતે ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું

સુરત વિશા ઓસવાળ જૈન જ્ઞાતિ મંડળ સમાજના માતુશ્રી સુમનબેન બાબુલાલ નાથાલાલ શાહ પરિવારના પુત્ર વિનોદભાઈ માસ્તર (સાહેબ) શનિવારે અરિહંત શરણ થયા. સુરતની નેમુભાઈ વાડી પાઠશાળાના સ્થાપક તથા હજારો સંયમીઓને જ્ઞાન પીરસનારા ૫૦થી વધુ સંયમી મહાત્માઓના આંતરપ્રેરક એવા વિનોદભાઈ આગમોદ્ધારક સાગર | સમુદાયના પ્રવર સમિતિના અગ્રગણ્ય શ્રાવક હતા. સ્વયં આચંબિલ તપની ૧૦૦ ૪૭ ઓળી કરનારા. ઉપધાન, ૯૯ યાત્રા, છેટીંપાલક સંઘ, ઓળી આદિના આરાધક અને આયોજક હતા. સુરત રાજવર્લ્ડમાં સિદ્ધાવલ આકારમાં જિનાલયના લાભાર્થી એવા તેઓ વાડી પાઠશાળાનું હૃદય હતા.

શુક્રવારે પાલીતાણા તીર્થે ધ્વજારોહણ ઉત્સવે રાયણ પગલે ભક્તિમાં લીન બન્યા. હજારોની જનમેદની વચ્ચે શનિવારે ગોપીપુરા ખાતે નિવાસ સ્થાનેથી બપોરે ૩ વાગે અંતિમયાત્રામાં ભર તડકે પણ યુવાનો ને શ્રાવકો જ્ઞાનદાતા ગુરુજીને અલવિદા કરવા ઉમટેલા પાઠશાળાના યુવાનો બાઇક રેલી સાથે ઓસવાલ મહોલ્લા માળી ફળિયા, લીમડા ઉપાશ્રય, ડી.કે. ચાર રસ્તા થઈ કૈલાસનગર બાબુની ગલી, અઠવાગેટ, અઠવાલાઇન્સ થઈ મરા ખાતે વિરામ પામી હતી.

સાગર સમુદાયના અનેક વરિષ્ઠ આચાર્યો પૂજ્યો તેમજ શ્રેષ્ઠીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અંતિમયાત્રામાં ‘દેખો દેખો કૌન આયા, જિન શાસન કા શેર આયા’ના નારા ગૂંજયા હતા. યુવાનોના હૈયામાં હંમેશા સાહેબ તરીકે સ્થાપિત થયેલા તેમના સ્વયંના હૈયામાં પંન્યાસ ગુરુદેવ અભયસાગરજી મહારાજ વસેલા હતા. શ્રદ્ધા, સંસ્કાર, જાગૃતિ અને સંવેદનાના પાઠો આજે સૌના અંતરને ભીંજવો છે. રવિવારે ઉપકારી ગુરુદેવ શાસનપ્રભાવક પૂ.આ. અશોક સાગર સૂરીશ્વરજી મહારાજા, પ્રવચન પ્રભાવક આ સાગરચંદ્ર સાગરસૂરિજી આદિ અનેક પૂજ્યોની નિશ્રામાં વેસુ વિજયાલક્ષ્મી હોલમાં ૧૦ વાગે ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું હતું

જેમાં જનમેદની ને સંભોધતા ગચ્છાધિપતિ નરદેવ સાગર સુરીસ્વર જી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે શ્રાવક ના તમામ ગુણો વિનોદ ભાઇઍ જિવન માં ઉતાર્યા હતા. શાસન અને સમુદાય ને ખૂબ મોટી ખોટ પડી છે. જ્યારે આચાર્ય અશોક સાગર સુરીસ્વર જી મહારાજ સાહેબે કહું કે સંસ્કાર – સંયમ સિદ્ધાચલ નો રસ વિનોદ ભાઈ ના આત્માને ઉજ્જવળ બનાવી ગયો. ઍક ગંભીર અને સક્રિય તપ નિષ્ઠ શ્રાવક હતા વીસમી સદીના તેઓ આદર્શ હતો.

માતૃભક્તિ- ગુરૂભક્તિ- પ્રભૂભક્તિ અને પાઠ શાલા દ્વરા જ્ઞાનયોગ આવશ્યક ક્રિયાઓ દ્વારા સંયમ યોગ- સ્વદ્રવ્ય પૂજા દ્વારા દર્શન યોગ વર્ધમાન તપ ની ૧૪૭ ઓળી દ્વારા તપ યોગ ના અખૂટ આદર્શમય પુરૂષ ઍ વિનોદ ભાઈ- વિનોદસર – વિનોદ સાહેબ હતા. આચાર્ય સાગર ચંદ્ર સાગર સુરીસ્વર જી મહારાજ સાહેબ.

વિનોદભાઈના સગાભાઈ કૃપાંશુચંદ્ર સાગર તથા ભત્રીજા મુનિ પરાર્થચંદ્ર સાગરજીએ પણ સાગર સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરેલ છે.

કિશોરભાઈ શાહ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

શહેરના ગોપીપુરા વિસ્તારની શાળામાં વર્ષો સુધી શિક્ષક તરીકે સેવા I આપ્યા બાદ જૈન સમાજના જીવદયા પ્રેમી વિનોદભાઈ બી. શાહ અકસ્માતે ) પડી જવાથી તેમનું કરૂણ નિધન થયું હતું. જૈન પાઠશાળાના સ્થાપક -. વિનોદભાઈ શાહે ૫૦થી વધુ સંયમી આત્માઓના જ્ઞાનદાતા હતા. જીવદયા તથા જિનશાસનના કાર્યો સદા અગ્રેસર રહેનાર વિનોદભાઈને શાંતિનાથ ન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કિશોરભાઈ શાહ (જીવદયા) દ્વારા તેમના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button