આચાર્ય યશોવર્મસુરીજી મહારાજ સાથે વેસુમાં લબ્ધી ભૂમિ માં જાજરમાન પ્રવેશ અને તારીખ 20મી એ સવારે
આજે ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરીશ્વજી મહારાજ આચાર્ય યશોવર્મસુરીજી મહારાજ સાથે વેસુમાં અનેક આચાર્ય મહારાજ સાહેબનો ગુરુ લબ્ધિસામ્રાજ્ય - બલર ફાર્મ માં ભવ્ય પ્રવેશ થશે

હંમેશા બદલાય તે સાધન ને ક્યારેય ન બદલાય તે સાધના. સાધનામય જીવન જીવે તે સંસારીને, સાધના નેજ જીવન બનાવે તે સાધુ. આવી સાધુતાને ધરનારા અનેકાનેક આચાર્ય ભગવંતો સેંકડો સાધુ – સાધ્વીજી મહારાજ આજે ગુરુ લબ્ધિસામ્રાજ્ય નગરી વેસુ માં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા તથા જેમનો ઐતિહાસિક ગચ્છાધિપતિ ઉત્સવ સુરતમાં ઉજવાઈ રહ્યો છે, તે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી યશોવર્મસુરીશ્વરજી મહારાજા સાથે સૌનો ઐતિહાસિક – જાજરમાન ને અનેક વિશિષ્ટતા ધરાવતી પ્રવેશ યાત્રા સવારે 9:00 કલાક સોમેશ્વર સંઘથી પ્રારંભ થશે. અને પ્રાયઃ પ્રથમવાર નિર્માણ પામેલી પદવી નગરીનો ઉદ્ઘાટન થશે. જ્યાં સૌથી વિશેષ 108 ગ્રંથના મુખચિત્ર સાથેનું બુક ના ગેટમાંથી એન્ટ્રી લઇ સમવસરણમાં પ્રવેશ લેવાનો રહેશે. વિશાલકાય સમવસરણમાં ચઢીને જવાનું ને ત્યાંથી VR ટેકનોલોજી થી લાઈવ સમવસરણ ને અનુભવવા નું જબરજસ્ત સ્પેશિયલ આયોજન કરાયું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લેશે. અને ત્યાં ત્રણ દિવસનો ભવ્યાતિભવ્ય મહોત્સવ મંડાશે.

રાત્રે કોલેજીયન યુવક – યુવતીઓનો યંગસ્ટરો માટેનો લાઈવ સંગીત નો કાર્યક્રમ ભક્તિ સંધ્યા ને થશે જેમાં પાર્થ દોશી, પારસ ગડા, જૈનમ વારૈયા, જૈનમ સંઘવી શાસનને ખાસ બાલ સિંગરો ધૂમ મચાવશે. નવા કોન્સેપ્ટમાં ભક્તિ કરાવશે. જેના પાસ માટે લોકો પડાપડી કરી રહ્યા છે. અને તારીખ 21 ના રાત્રે વેરી ફર્સ્ટ ટાઈમ લોન્ચ થશે – સ્પેશિયલ પ્રોફેશનલ ટચ સાથેનો ડ્રામા “સિકંદર કા સિકંદર” એક ઐતિહાસિક વ્યક્તિનો જીવન ખુલ્લું મુકાશે. આવા અનેક કાર્યક્રમ માટે આજે સુરત નગર પ્રવેશ. સવારે જાજરમાન ભવ્ય ભક્તિભર્યો સામૈયા સાથે સુરતની શાન બની રહેતી અનેક વિશિષ્ટતા ને વિશાળતા ધરાવતી લબ્ધિભૂમિ માં ગુરુલબ્ધિસુરી સમુદાયના 9/9 આચાર્ય ભગવંતોને વિશાલ સાધુ – સાધ્વી સમુદાયનો પ્રવેશ થયો હતો.
પૂજ્ય આચાર્ય શ્રી યશોવર્મસુરીશ્વરજી મહારાજ આચાર્ય વીરયશસૂરીજી આચાર્ય અજીતયશસૂરીજી આચાર્ય ભાગ્યયશસૂરીજી આચાર્ય દર્શનયશસુરીજી આચાર્ય વીતરાગયશસુરીજી આચાર્ય ભવ્યયશસુરીજી આચાર્ય હ્રીંકારયશસુરીજી આચાર્ય સંસ્કારયશસુરીજી ઉપાધ્યાય વિશ્રુતયશવિજયજી ઉપાધ્યાય પાર્શ્વયશવિજયજી પૂજ્ય મુની શ્રી ભદ્રબાહુવિજયજી આદિ 100 થી વધુ સાધુ – સાધ્વી સમુદાયને વધાવતા સકલ સમાજ હર્ષ ઘેલો બન્યો હતો, મન મૂકીને નાચ્યો હતો. ને ભારે ઉત્સાહ ને ઉલ્લાસથી સૌના હૃદય ઉછળતા હતા. ને પ્રવચનોને અનેક અરિહંત પ્રભુના ઉપાસક ભક્તિહૃદયી ખ્યાતનામ સંગીતવિદો એ શક્રસ્તવના અભિષેકથી સૌને પ્રભુમય બનાવી દીધા હતા. પ્રાચીન દાદાની સન્મુખ અભિષેકની ભક્તિમાં સૌ તરબોળ બન્યા હતા. આજે મહાપૂજામાં મોડી રાત સુધી લોકો લાઈનમાં ઊભા રહી દર્શન માટે ઉમટ્યા હતા. જબરજસ્ત ઉમંગ સકલ જૈન સમાજમાં વર્તાઈ રહ્યો છે. દેશના અનેક પ્રદેશથી ભાવિકો પધારી રહ્યા છે.



