સુરત

શ્રી માધવ ગૌશાળા ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં 300 યુનિટ રક્ત એકત્ર

ઉધના બમરોલી રોડ વિસ્તારમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા આવેલ છે જે ગૌશાળા ખાતે આજરોજ રકતદાન શિબિરનું આયોજન રાખવામાં આવેલ હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક  આશિષ સુર્યવંશીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના વહાણ નંદી મહારાજના સાનિધ્યમાં શ્રી માધવ ગૌશાળા ખાતે યુવાઓ અને મહિલાઓએ 300 યુનિટ રકતદાન કરી પુણ્ય પ્રાપ્તિ કરી હતી.

ગૌસેવકો દ્વારા તમામ રકતદાતોનું ગૌશાળા ખાતે તિલક કરી સ્વાગત કર્યું હતું તેમજ ગૌમાતાનું પૂંજન તેઓના હસ્તે કરાવ્યું હતું ત્યારબાદ તેઓએ રકતદાન કર્યું હતું. ગૌશાળાના ગૌસેવકો તથા અન્ય સંસ્થાના સાથી મિત્રો દ્વારા 300 યુનિટ રક્તની એકત્રિત કરવામાં આવી હતી.

તમામ રાજકીય-સામાજીક સંસ્થાના આગેવાનો આ રકતદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આશિષ સુર્યવંશી એ જણાવ્યું હતું કે, ગૌસેવકો અને સંસ્થાના યુવાનોએ સંકલ્પ લીધેલ હતો કે હવે પછીના રકતદાન શિબિરમાં આજે જે 300 યુનિટ એકત્રિત કરી હતી તેનાથી બમણો આંકડો પાર કરીશું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button