એજ્યુકેશન

ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ દિક્ષાંત સમારંભ

ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ દિક્ષાંત સમારંભ તારીખ 21મી મે, 2022ના રોજ સાંજે 6 વાગે આયોજીત થઇ રહ્યો છે. આ દિક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના (માર્ગ, મકાન, વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, યાત્રાધામ, વિકાસ)ના કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદી તથા મહંત શંભુ પ્રસાદજી ટુંડીયા (ભારતની રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય) પધારવાના છે.

ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારંભમાં ભગવાન મહાવીર સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના 182 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવનાર છે. અને ચાર વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવનાર છે. દિક્ષાંત સમારંભના સમાપન બાદ ગુજરાતના ડાયરા કિંગ શ્રી કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button