એજ્યુકેશન

પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, CBSE ના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના પરિણામમાં ઉત્તમ પ્રદર્શન

સુરત : પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, CBSE ના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના પરિણામમાં ઉત્તમ પ્રદર્શન કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થી ભવ્ય નરેશકુમાર સાવલિયા એ 98.4% સાથે ધોરણ 10માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ દેવાંશ દેવલ શાહ એ 95.8% સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે અને ઘેવરિયા રૂહી શૈલેષભાઈ એ 94.8% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ શ્રેષ્ઠ પરિણામથી શાળા, માતા-પિતા અને શિક્ષકોમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે.

વિશેષ સિદ્ધિ:

સાયન્સ વિષયમાં ભવ્ય નરેશકુમાર સાવલિયા અને ધાર્મિક ભાવેશકુમાર લાડુમોર, તેમજ કમ્પ્યુટર વિષયમાં નીલ બિપિનભાઈ તેજાણી, શ્લોક પાનેલિયા અને વેદ નીલેશ ધડુક એ 100 માંથી 100 ગુણ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

શાળાના પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button