સુરત

ઉત્તર ભારતીયોની રેલ સમસ્યાને લઈને રેલ્વે રાજ્ય મંત્રી અને ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિમંડળની બેઠક મળી

સમિતિએ પોતાની માંગણીઓ રેલ રાજ્ય મંત્રી સમક્ષ મૂકી હતી

મંગળવારે શહેરના અઠવાલાઇન્સ સ્થિત રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના કાર્યાલય ખાતે ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિ મંડળ અને સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ વચ્ચે બેઠક મળી હતી. આ દરમિયાન સમિતિએ રેલ રાજ્ય મંત્રીને માંગણી પત્ર પણ સુપ્રત કર્યો હતો રેલ રાજ્ય મંત્રીએ વહેલી તકે માંગણીઓ ઉકેલવાની ખાતરી આપી હતી.

રેલ સંઘર્ષ સમિતિના વરિષ્ટ સભ્ય શાન ખાને જણાવ્યું હતું કે અમે બે મહિના પહેલા  રેલ રાજ્ય મંત્રી પાસેથી મળવાનું સમય માગ્યું હતું જે તબક્કે હમારા પ્રતિનિધિ મંડળ ને બોલાવવામાં આવ્યું હતું અમે રેલ રાજ્ય મંત્રીને જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત દેશનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે, જેમાં દેશભરના ખાસ કરીને ઉત્તર ભારતમાંથી 20 લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે, જેમના આવાગમન માટે એકમાત્ર સાધન રેલ છે.

પરંતુ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે, જેથી મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે એટલું જ નહીં તેમનું શોષણ પણ થાય છે, આ હકીકતને સાથે રેલવે તંત્ર પણ સારી રીતે પરિચિત છે. ઉત્તર ભારતની રેલ સમસ્યા માટે રચાયેલી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ છેલ્લા પાંચ વર્ષથી સંઘર્ષ કરી રહી છે, જે અંતર્ગત બે વિશાળ રેલી, સેંકડો જાહેર સભાઓ, રેલ રોકો આંદોલન, રેલ મંત્રીનો ઘેરાવ, સહિત વિવિધ અધિકારીઓ સાથે મંત્રણા કરવામાં આવી છે.

વિવિધ તબક્કે રેલવેના જીએમ, ડીઆરએમ સાથેના પત્રવ્યવહાર બાદ રેલવે અધિકારીઓ અને ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિની સંયુક્ત બેઠક દરમિયાન સમિતિને રેલવે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ઉધના-જલગાંવ ટ્રેક ડબલ થયા પછી નવી ટ્રેનો ચલાવવામાં આવશે. પરંતુ આ સમયગાળા દરમિયાન કોવિડ રોગચાળો આવવાના કારણે વહીવટીતંત્રની વિનંતીને કારણે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. રેલ્વે તંત્ર હવે સામાન્ય સંજોગોમાં પણ તેના ભરોસા પર ખરું ઉતરી રહ્યું નથી,

સંઘર્ષ સમિતિના પ્રતિનિધિમંડળમાં શાન ખાન, ઉમાશંકર મિશ્રા, શશિ દુબે, અવધેશ મૌર્યા, રોશન મિશ્રા સહિતના અન્ય અગ્રણીઓનો સામેલ હતા.

રેલ રાજ્ય મંત્રી સમક્ષ સમિતિ દ્વારા મુકવામાં આવેલ મુખ્ય માંગણીઓ:-

(1) સુરતથી અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે. જે સુરતથી વાયા ઉધના, ભુસાવલ, ઈટારસી, કટની, શંકરગઢ, નૈની, પ્રયાગરાજ, પ્રતાપગઢ, સુલતાનપુર થઈને અયોધ્યા પહોંચે.

(2) સુરતથી પટનાની નવી ટ્રેન શરૂ કરવામાં આવે. જે સુરતથી વાયા વડોદરા, રતલામ, ઉજ્જૈન, સુજાલપુર, બીના, ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર, વારાણસી, દીનદયાલ ઉપાધ્યાય જંકશન થઈને પટના પહોંચે.

(3) 09175 મુંબઈ સેન્ટ્રલ ભાગલપુર વિશેષ ટ્રેનને નિયમિત કરવામાં આવે.

(4) સુરતથી વાયા ભુસાવલ, દીનદયાળ, ગયા, કોડરમા, બોકારો, રાંચી સુધીની નવી ટ્રેન શરૂ કરવામાં આવે.

(5) 19063 ઉધના દાનાપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.

(6) 19051 શ્રમિક એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.

(7) 19053 સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.

(8) 11104 બાંદ્રા ઝાંસી એક્સપ્રેસના રૂટનું વિસ્તરણ કરી બાંદ્રાથી ગોરખપુર કરવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button