ગુજરાતસુરત

વડાપ્રધાન મોદીને મહારાજા અગ્રસેન હોસ્પિટલના ભૂમિપૂજન માટેનું આમંત્રણ

ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીને રવિવારે મહારાજા અગ્રસેન હોસ્પિટલના ભૂમિપૂજન માટે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રવિવારે ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીના નેતૃત્વમાં ટ્રસ્ટની ટીમ મોદીજીની સભા બાદ ગોપીન ગામ ખાતેના સભા (ગ્રીન) રૂમમાં આદરણીય વડાપ્રધાનને મળી હતી. જમીન ફાળવવા બદલ ટ્રસ્ટનો સૌ પ્રથમ આભાર માન્યો હતો અને ત્યારબાદ ભૂમિપૂજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ આમંત્રણ સ્વીકાર્યું અને ટૂંક સમયમાં પીએમઓ તરફથી સમય મળશે.

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ ક્લાસ મહારાજા અગ્રસેન હોસ્પિટલનું ટૂંક સમયમાં નિર્માણ કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા ટ્રસ્ટને આશરે સાડા અગિયાર હજાર યાર્ડ જમીન આપવામાં આવી છે. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીની સાથે શ્યામસુંદર અગ્રવાલ, સુભાષ અગ્રવાલ, પ્રમોદ પોદ્દાર, વિનય અગ્રવાલ અને રાહુલ અગ્રવાલ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button