સુરત

22 જાન્યુઆરીએ કિરણ હોસ્પિટલના ફેઝ 2 નો ઉદ્ઘાટન સમારોહ

સુરત, કિરણ હોસ્પિટલના પ્રથમ તબક્કાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં હવે બીજા તબક્કાનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2023ના રોજ રક્તદાતાઓ દ્વારા કરવામાં આવશે. કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કિરણ હોસ્પિટલનો ઉદ્દેશ્ય દેશના લોકોને સારી સારવાર આપવાનો છે. છેલ્લા છ વર્ષમાં 21 લાખથી વધુ દર્દીઓએ કિરણ હોસ્પિટલની સેવાઓનો લાભ લીધો છે. હોસ્પિટલની 550 બેડની વ્યવસ્થા હવે ઓછી પડી રહી છે. જેના કારણે 350 બેડ વધારીને 900 બેડ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલમાં જટિલ થી જટિલ રોગોની સારવાર માટે સક્ષમ 43 વિભાગો છે. રક્તદાતાઓની પસંદગી માટે જેમના હાથે ઉદ્ઘાટન થવાનું છે, રક્તદાતાએ બે કરતા વધુ વખત રક્તદાન કર્યું હોવું જોઈએ અને 15 જાન્યુઆરી, 2023 સુધીમાં www.kiranhospital.com પર નોંધણી કરાવવી આવશ્યક છે. નોંધાયેલા રક્તદાતાઓ માટે ડ્રો યોજાશે. જેમાંથી 3 પુરૂષો અને 3 મહિલાઓના નામની પસંદગી કરવામાં આવશે. પસંદ કરાયેલા રક્તદાતાઓ દ્વારા હોસ્પિટલના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button