એજ્યુકેશન
અર્ચના વિદ્યા નિકેતન માં ગ્રેજ્યુએશન ડે ની ઉજવણી
![](https://divyagujarati.com/wp-content/uploads/2022/03/02-1.jpg)
વરાછા કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતનમાં બાળભવન વિભાગના બાળકોનું ગ્રેજ્યુએશન ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. પા ..પા. પગલી કરતું બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરે છે ત્યારે બધી જ બાબતો થી તદ્દન અજાણ હોય છે.
બાળકોને શિક્ષણ, સંસ્કાર અને શ્રેષ્ઠ જીવન શૈલી જીવતા શીખવીને પ્રાથમિક શાળા માટે એક આદર્શ વિદ્યાર્થી બનવા માટે તૈયાર કરેલ છે તો જીવનનો આ પ્રથમ સોપાન પૂર્ણ કર્યાની ખુશીમાં ગ્રેજ્યુએશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વાલીઓનો ખુબજ ઉત્સાહપૂર્વક નો પ્રતિસાદ રહ્યો હતો.
શાળાના આચાર્યશ્રી રજીતા તુમ્મા , રાજકન્યા પાટીલ , ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા એ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.