એજ્યુકેશન

એલ.પી.સવાણી સ્કૂલ પાલનપુર સુરત ખાતે મેગા કારકિર્દી મેળાનું આયોજન કરવામાં આવ્યું

સુરતઃ શનિવારે એલ.પી સવાણી સ્કૂલ પાલનપુરના વિદ્યાર્થીઓને કારકિર્દીને લગતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે અનુભવી અને વ્યાવસાયિક તજજ્ઞો દ્વારા કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને નિષ્ણાતોએ કારકિર્દી અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. યુનિવર્સિટીના પ્રતિનિધિઓને તેમના અભ્યાસક્રમોની ભાવિ માંગણીઓ અને તેમના દ્વારા જરૂરી અન્ય ઘણી વિગતો વિશે વાત કરવામાં આવી હતી.

આ કારકિર્દી મેળામાં શાળાના ટ્રસ્ટી, ડાયરેક્ટર શ્રી, શાળાના આચાર્ય, સુપરવાઈઝર અને શિક્ષકગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.કારકિર્દી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણની સાથે સાથે યોગ્ય માર્ગદર્શન આપવાનો છે. વર્તમાન ડીજીટલ યુગમાં વિદ્યાર્થીઓએ કરવું પડ્યું. આ કારકિર્દી મેળામાં 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button