એલ.પી. સવાણી એકેડેમી દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પ્રખ્યાત અભિનેતા અને પ્રેરણાદાયક વક્તા શ્રી આશિષ વિદ્યાર્થીએ અદ્વિતીય પ્રેરણાત્મક સત્ર આપ્યું

સુરતના ડી વિલા ખાતે એલ.પી. સવાણી એકેડેમી દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પારુલ યુનિવર્સિટી અને એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના સહકારથી આ કાર્યક્રમમાં પ્રખ્યાત અભિનેતા અને પ્રેરણાદાયક વક્તા આશિષ વિદ્યાર્થીએ અદ્વિતીય પ્રેરણાત્મક સત્ર આપ્યું.
આ અવસરે પારુલ યુનિવર્સિટીના પ્રમુખ પારુલ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને વિશેષ મહત્વમય બનાવ્યું. આ પ્રસંગની શોભા માવજીભાઈ સવાણી, ચેરમેન, એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ; ડો. ધર્મેન્દ્ર સવાણી, વાઇસ ચેરમેન; અને પૂર્વી સવાણી, ડિરેક્ટર દ્વારા વધારવામાં આવી, જેમની અનોખી અને પ્રેરણાદાયક હાજરીએ કાર્યક્રમને અસાધારણ મૂલ્ય પૂરું પાડ્યું.

ઉત્સાહ વધારવા માટે જાણીતા વ્યક્તિત્વો અને ઈન્ફ્લુએન્સર્સ પણ ઉપસ્થિત રહ્યા, જેમણે દર્શકો સાથે જોડાણ કરવાનું અને કાર્યક્રમમાં જીવંત ઉત્સાહ ઉમેરવાનું કામ કર્યું.
કાર્યક્રમમાં બધી બેઠકો ભરાઈ ગઈ હતી અને વેન્યુ સંપૂર્ણ રીતે હાઉસ-ફુલ રહ્યો, જેમાં ૫૦૦થી વધુ પ્રતિષ્ઠિત મહેમાનો અને ૪,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને માતા-પિતા ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા. આશિષ વિદ્યાર્થિએ જીવન મૂલ્યો, કરિયર વિકાસ, આત્મવિશ્વાસ અને નિર્ધાર વિશે આપેલા પ્રભાવશાળી વિચારોે દર્શકો પર દીર્ઘકાલીન અસર છોડી.
લોકો મને કહેતા તું ખૂબ બોલે છે, તેને મારી કમજોરી ગણાવતા પણ આજે એજ મારી સ્ટ્રેન્થ છે. તમારી કમજોરી પણ સ્ટ્રેન્થ બની શકે છે. મને બાળપણથી કામ કરવાથી ડર લાગતો નહોતો. તેનું પરિણામ આજે હું એક્ટર, સ્પીકર, કોમેડિયન અને કોચ છું, મને રૂટિન શબ્દ બેઇજ્જતી જેવો લાગે છે. મારી ઉંમર 60 છે, હું હજી પણ ભૂખ્યો છું અને સતત શીખી રહ્યો છું આપણે સૌએ પોતાને એનાલાઈઝ કરવા જોઈએ, બીજા લોકોની તાળીઓ અથવા ટીકા પર ડિપેન્ડ ન થવું. હું દરરોજ જીવનની ત્રણ “લોટરી” સેલિબ્રેટ કરું છું જે તમારે પણ કરવી જોઈએ. 1-હું જન્મ્યો : આ જ પોતાનામાં આશ્ચર્ય છે. 2 – હું આજે પણ જીવીત છું : ખાસ કરીને કોવિડ પછી, જેમાં આપણા નજીકના ઘણા સાથીઓ નથી રહ્યા. ૩-આ ક્ષણે મને મારા ભવિષ્યને બદલવાનો મોકો મળ્યો છે. અને કંઈક કરવાનો ટ્રાય કરો. જીવનમાં સૌથી મોટી બાબત શીખવાની ભૂખ છે એટલે કે જીવનભર પોતાને વિદ્યાર્થી માનવો જોઇએ. જ્યાં સુધી શ્વાસ છે. સતત શીખતા રહેવું.
આ મારી કહાની જમુના પારથી 350 થી વધુ ફિલ્મ સુધીની છે. હું દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારનો છું, તે સમય લોકો આ વિસ્તારને ઓછો સમજતા અને એને “જમુના પાર” કહીને સંબોધતા હતા. મારે એક્ટર બનવું હતું. પણ કોઈએ મારા સપનાને ગંભીરતાથી ન લીધા. ત્યારબાદ મને સમજાયું કે તમે કયાથી છો? એ તો કોઈ બદલી બદ શકતું નથી,પણ તમારે આગળ કયા સુધી જવું તે તમારા તમારા હ હાથમાં છે. મેં એક જાહેરાત જોઈ ટાટા સ્ટીલની, તેમાં કહ્યું હતું કે અમે પણ સ્ટીલ વેચીએ છીએ. મને આ એડમાંથી ઇન્સ્પિરેશન મળ્યું કે માણસ કોઈ એક રોલમાં બંધાયેલો નથી.
મને પહેલી ફિલ્મ “કૂત્તે કી મોત ” મળી જે કોઈ દિવસ બની જ નહિ, સપનું તુટી ગયું. લોકો હસ્યા. છતાં મેં હાર ન માની. મુંબઈ સપનાનું શહેર નથી. મુંબઈ એ લોકોનું શહેર છે. જેઓ સપના તૂટ્યા પછી પણ નવા સપના જોવાની હિંમત રાખે છે. હું સપના તૂટ્યા પછી પણ મહેનત કરતો રહ્યો. પછી મને “દ્રોહકાલ” ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો. પણ મારા ખિસ્સામાં પૈસા નહોતા, પોતાની પાર્ટીના બિલ માટે પણ ડાયરેક્ટરને કહેવું પડયું. અહીંથી હું શીખ્યો કે માત્ર એવોર્ડ કે ફાઈનલ સફળતા નથી. તમે સફળતા કે નિષ્ફળતા | પછી જો રોકાઈ જશો તો ક્યારેય આગળ વધી શકશો નહિં. ત્યારબાદ મેં મેં 350થી વધુ ફિલ્મો ને અને 11 ભાષાઓમાં કામ કર્યું. હવે દુનિયા સતત બદલાઈ રહી છે. જો તમે એક વાર શીખીને બેસી જશો તો આઉટડેટેડ બની જશો.
આ અવસરે એલ.પી. સવાણી એકેડેમી Principal, ડો. મૌતોશી શર્માએ આશિષ વિદ્યાર્થિનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમનું સત્ર દરેક ઉપસ્થિત વ્યક્તિ માટે પ્રેરણાત્મક અને જીવંત રહેલું.
કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયું અને એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના મજબૂત નેતૃત્વ અને પ્રગતિશીલ દૃષ્ટિકોણને ઉજાગર કર્યું, જે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ માટે સમર્પિત છે.



