એજ્યુકેશનસુરત

અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ વી વિધાલયનું 100 % રિઝલ્ટ

સુરતઃ અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ વી વિધાલય એટલે જ્ઞાન શિક્ષણ અને સંસ્કારો નો ત્રિવેણી સંગમ છેલ્લા 25 વર્ષોથી અવિરત પણે શિક્ષણ દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવાના હેતુથી તે શાળાના ટ્રસ્ટી,આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો સમર્પિત રહે છે. છેલ્લા 25 વર્ષથી સતત ધોરણ 10 માં 100 % રિઝલ્ટ આપવામાં શાળા સફળ રહી છે.

આચાર્ય  કેતનકુમાર વ્યાસ, સુપરવાઇઝર  વર્ષાબેન તથા સમસ્ત શિક્ષક ગણના પરિશ્રમ અને પ્રોત્સાહની આ વર્ષે પણ ધોરણ 10નું સો ટકા પરિણામ આવેલ છે કુલ ધોરણ 10 ના 82 વિધર્થીઓમાંથી ૬ વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં તથા 23 જેટલા વિદ્યાર્થીઓ 42 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે.

શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીએ સમસ્ત વિદ્યાર્થીગણ, શિક્ષકગણ તેમજ વાલીઓને શુભેચ્છા તથા સુભાષિત પાવેલ છે. સંચાલક દિનેશભાઈ ગોંડલીયા અને હિમતભાઇ ગોંડલીયાએ તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો અને વાલી મિત્રો ને તેમના યોગ્ય સંકલનથી જ સારામાં સારું પરિણામ મેળવી શકાયું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button