બિઝનેસ

વેપાર-ઉદ્યોગોમાં આગ લાગવાનું જોખમ વધતાં, વ્યાપક ફાયર ઈન્સ્યોરન્સ લેવો હવે ખૂબ જરૂરી બન્યો

સુરત દેશના ઔદ્યોગિક અને વ્યાપારીક પ્રતિષ્ઠાનોમાં તાજેતરમાં નોંધાયેલી આગની મોટી ઘટનાઓએ વેપાર-ઉદ્યોગપર રહેલાં ગંભીર જોખમ પ્રત્યે ફરીથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.ભારતમાં દર વર્ષે આગની અંદાજે ૧.૬ લાખ ઘટનાઓ બને છેજેમાં હજારો લોકો જીવ ગુમાવે છે અને ઘરો તેમજ વ્યાપારી મિલકતોને ભારે નુકસાન થાય છે.એક ધમધમતી હોટેલગીચ ટેક્સટાઈલ એકમો કે મોટી ફેક્ટરીઓ માટે આ નુકસાન માત્ર ભૌતિક મિલકતો પૂરતું મર્યાદિત નથી હોતુંતેનાથી માનવ જીવનની હાનિ, તૈયાર માલ-સામાન તરત નષ્ટથવોમશીનરી બદલવાનો જંગી ખર્ચ થવા ઉપરાંત કામકાજ ઠપ થઈ જતાં આવક બંધ થઈ જાય છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં સુરત શહેરમાં બનેલી આગની ઘટનાઓ દર્શાવે છે કે દેશના સૌથી મોટા અને ઝડપી વિકાસ પામતા ટેક્સટાઇલ બજારોમાંનું એક હોવાને કારણે સુરત આગની દુર્ઘટનાઓ માટે વધુ સંવેદનશીલ બન્યું છે.  તેથી સુરતના વ્યાવસાયિક સંસ્થાનો અને ટેક્સટાઇલ એકમો માટે આગ વીમા દ્વારા પોતાને સુરક્ષિત કરવું અત્યંત જરૂરી બની ગયું છે. 2015થી 2024 દરમિયાનના એનસીઆરબી (NCRB)ના આંકડાઓ મુજબઆગની દુર્ઘટનાઓમાં થતા મૃત્યુના મામલે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે.

 ટાટા એઆઈજી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના એમએસએમઈ પ્રોડક્ટ્સના વડા પ્રણય શાહેવીમાના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “જો જોખમો સામે પૂરતો વીમો લેવામાં ન આવે તો આગની ઘટનાને કારણે કંપનીઓ લાંબા સમય માટે આર્થિક કટોકટીમાં ધકેલાઈ શકે છે.વર્તમાન સમયમાં જ્યારે ક્લાયમેટ ચેન્જઅતિશય પ્રતિકૂળ હવામાન અને બદલાતા કાર્યકારી જોખમોને કારણે વેપારી એકમો વધતી જતી અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા છેત્યારે વીમા કવચનું સમયાંતરે મૂલ્યાંકન કરવું અનિવાર્ય છે.

ટાટા એઆઈજી જેવી વીમા કંપનીઓ દ્વારા ઉપલબ્ધ સોલ્યુશન્સ ખાસ એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે જે આગ અને તેને લગતા જોખમોજાનહાનિમશીનરી બ્રેકડાઉન અને ધંધો બંધ રહેવાથી થતી આવકની ખોટ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત૩ વર્ષ સુધીની લાંબા ગાળાની પોલિસીનો ફ્લેક્સિબલ વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button