વડોદરા

ઉત્તરાયણ પર્વએ આટલું ધ્‍યાન રાખીએ

પશુઓ લાડુ, ગોળ, અનાજ અને લીલોચારો વધુ માત્રામાં ખાઇ જાય તો તેમના માટે જીવલેણ બની શકે છે

આણંદ  ઉત્તરાયણનો પર્વ પંતગોત્સવ સાથે સાથે દાન-ધર્મ કરવાનો ભાવ પણ છે. આ દિવસે નાગરિકો દ્વારા પોતાની યથાશક્તિ અનુસાર પશુઓને લાડું, ગોળ, અનાજ તથા લીલોચારો ખવડાવવામાં આવે છે. આ પ્રકારનો ખોરાક પશુઓનો રોજિંદો ખોરાક ન હોવાથી અને વધુ માત્રામાં પશુઓ આ ખોરાક ખાઇ જાય તો આફરો, અપચો, એસીડોસીસના પ્રશ્નો ઉદ્દભવે છે. પશુઓને આવો વધુ પડતો ખોરાક ખાવાથી વધુ આફરો ચઢે તો પશુને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે.

આ પ્રશ્ન ઉદ્દભવે અને જો  પશુઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર ન મળે તો  પશુનું મૃત્યૃ પણ થવાની સંભાવના રહેતી હોય છે. જેથી કોઇ પશુનું મૃત્‍યુ ન થાય તે માટે  આ પ્રકારનો ખોરાક પશુઓને ન ખવડાવતા અને પશુઓને લીલાચારાની જગ્યાએ સુકાચારાનું નીરણ કરવું જોઇએ.

જો આવા કોઇ પશુઓને આવી કોઇ તકલીફ જણાઇ આવે તો તુરત જ આ અંગેની જાણ નજીકના પશુપાલન સારવાર કેન્‍દ્રમાં કરવી જોઇએ અગર તો પશુપાલન વિભાગના શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૬૯૨-૨૬૧૧૩૬ ઉપર કે

વોટસઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર સંપર્ક કરી પશુઓના જીવન બચાવવાની કામગીરી ઉમદા ભાવ સાથે આપણે આપણી ફરજ બજાવવી જોઇએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button