પાલ ખાતે સંજીવકુમાર ઓડિટોરિયમમાં 1 મેના રોજ ‘ કૃષ્ણ વે કોન્સર્ટ’નું ભવ્ય આયોજન

સુરત: પાલ વિસ્તારમાં આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે 1 મેના રોજ ‘Spok-CT’ દ્વારા અનોખા આધ્યાત્મિક અને સંગીતમય કાર્યક્રમ ‘કૃષ્ણ વે કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોના વિચારોને ઉચ્ચ સ્તરે લઈ જવાનો અને ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્ર દ્વારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
આ કોન્સર્ટમાં શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો અને વિચારોને આધુનિક રીતે રજૂ કરવામાં આવશે, જેનાથી વ્યક્તિગત જીવન, બિઝનેસ અને પરિવારિક સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે. કાર્યક્રમમાં કીર્તન અને સંગીતનો સમન્વય હશે, જેમાં ઉપસ્થિત લોકો આનંદની અનુભૂતિ સાથે સંગીતમાં તલ્લીન થઈ જશે.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કલાકારોની વિશેષ હાજરી રહેશે. જેમાં ભાગવત પ્રસાદ દ્વારા પ્રેઝન્ટેશન, હિરેન – આંતરરાષ્ટ્રીય મૃદંગા પ્લેયર, રાધિકા દાસ સાથે લાઇવ પરફોર્મન્સ, ગોવિંદ – આંતરરાષ્ટ્રીય વાંસળી વર્ચુસો, તેમજ પ્રેમ હરિ અને વિક્રમ રાજપૂત દ્વારા રજૂઆત કરવામાં આવશે.

આયોજકોનું માનવું છે કે શ્રીકૃષ્ણના વિચારો અને ચરિત્ર આપણા વિચારધારાને અપડેટ કરી શકે છે, અને આપણા વિચારો જ આપણા જીવનને આકાર આપે છે. તેથી સકારાત્મક જીવન માટે સારા વિચારો અને સારા સંસ્કારો અપનાવવાનું મહત્વપૂર્ણ છે.
Spok-CT દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લોકો પરિવાર સાથે જોડાઈને આ આધ્યાત્મિક યાત્રાનો લાભ લઈ શકે છે. આયોજકો મુજબ, આ કાર્યક્રમ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું એક નવું પગલું સાબિત થશે.



