શહેરના 5000થી વધારે ભિક્ષુકોને ઘારી ખવડાવી ચંદી પડવો ઉજવાશે

સુરતઃ ચંદી પડવાના દિવસે કરોડો રૂપિયાની ઘારી સુરત શહેરના નાગરિકો આરોગતા હોય છે ત્યારે શહેરમાં રખડતુ ભટકતુ જીવન ગુજારતા અને એક ટંકના ભોજન માટે ટળવળતા એવા સુરત શહેરના નાગરિકો (ભિક્ષુકો)નું શું ?
દિવાળી કે ચંદી પડવો કે વિજયા દશમી એના માટે શું ? જો કે ગોપીપુરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી મહાવીર અન્નક્ષેત્ર દ્વારા ભિક્ષુકો પણ ચંદી પડવાનો તહેવાર માણી શકે તે હેતુથી શહેરના જુદા જુદા 14 સેન્ટરો પર સંસ્થાના ભોજનરથ દ્વારા 5000થી વધારે ભિક્ષુકોને ઘારી સાથે ભુસુ અને મોહનથાળ પીરસવામાં આવશે.
તહેવારો સર્વમાન્ય છે અને દરેક વ્યક્તિને તહેવાર ઉજવવાનો હક છે. ભિક્ષુકો પણ એક વ્યક્તિ છે. સુરત શહેરના નાગરિક છે અને તેઓ પણ તહેવાર ઉજવવાનો હક ધરાવે છે. તહેવારોની અનુભૂતિ કરાવવાના હેતુથી શ્રી મહાવીર અન્નક્ષેત્ર દ્વારા ભોજન સાથે ઘારી- મોહનથાળ તેમજ ભૂસુ પીરસવામાં આવશે. આ રીતે ચંદી પડવાની ઉજવણી થશે.



