ગુજરાતબિઝનેસસુરત

એએમ/એનએસ ઈન્ડિયાએ પ્લાસ્ટીકનો કચરો ઘટાડવાની જાગૃતિ માટે નુક્કડ નાટકનું આયોજન કર્યુ

હજીરા-સુરત, 31 મે 2023: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત  સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ  5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પૂર્વે પ્લાસ્ટીકનો કચરો ઘટાડવા અંગે જાગૃતિ લાવવ નુક્કડ નાટકનું આયોજન કર્યુ હતું.

સોમવારે આ નુક્કડ નાટકનું આયોજન એએમ/એનએસ ઈન્ડિયાની પર્યાવરણ ટીમ દ્વારા  નવજાગૃતિ વિદ્યાલય, હજીરા ખાતે કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન મોદીએ ગ્લાસગોમાં રજૂ કરેલા COP26 કાર્યક્રમના અનુસંધાને મિશન LiFE  (પર્યાવરણ માટેની જીવનશૈલી)ના ભાગ તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. 

આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર ડો. જિજ્ઞાશા ઓઝા, એએમ/એનએસ ઈન્ડિયા ખાતે પર્યાવરણ વિભાગન હેડ શંકરા સુબ્રમણ્યન, એએમ/એનએસ ઈન્ડિયા સીએસઆર લીડ કિરણસિંહ સિંધા,  સ્કૂલના આચાર્ય  ડો. મિતેશકુમાર પારેખ અને હજીરા ગામના નાયબ સરપંચ રોહિત પટેલ સહિત શાળાનાં બાળકો અને તેમનાં માતા-પિતા સહિત 150 પ્રેક્ષકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે ઉપસ્થિત શ્રી સુબ્રમણયને જણાવ્યું હતું કે “પ્લાસ્ટીકના કચરાની જોખમી અસરો અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા માટેની જાગૃતિ લાવવી મહત્વની બાબત છે અને અમે પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે કટિબધ્ધ છીએ. નુક્કડ નાટકથી આ સંદેશો સરળ અને અસરકારક રીતે રજૂ થયો છે. આ કાર્યક્રમે જે પ્રતિભાવ મળ્યો છે, તેનો અમને આનંદ છે.”

આ કાર્યક્રમમાં પ્લાસ્ટીકનો કચરો ઘટાડવા અંગેની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં ‘પ્લાસ્ટીકને જાકારો આપો’ વિશે નવજાગૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કરેલા નુક્કડ નાટકનો સમાવેશ થતો હતો.  એક વિદ્યાર્થીનીએ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીંક કરવા અંગે વક્તવ્ય પણ આપ્યું હતું. આ સમારંભમાં “પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા” અંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રજૂ કરેલા અન્ય નુક્કડ નાટકનો પણ સમાવેશ થતો હતો. 

પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા અંગેના 3R’s (Reduce, Reuse and Recycle) અંગેના મહત્વના સિધ્ધાંતને સાંકળતો આ કાર્યક્રમ ખબૂ મહત્વનો પૂરવાર થયો હતો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button