બિઝનેસ

૧૫૦૦ મહિલાઓનો આધારસ્થંભ બનવા ડૉ.પ્રીતિ અદાણીનું સ્વાભિમાન વિઝન મધ્ય પ્રદેશના આંગણે પહોંચ્યું

બદરવાસ, મધ્યપ્રદેશ, ૨૫ એપ્રિલ, ૨૦૨૬: મધ્યપ્રદેશના બદરવાસમાં, સ્થિર આવક મેળવવા માંગતી મહિલાઓને જાતકમાઇ અને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયાસના ભાગરુપે, અદાણી સમૂહના અદાણી ફાઉન્ડેશન હસ્તકની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખે મદ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક નવા માર્ગના સ્વરુપમાં અદાણી વિકાસ કેન્દ્ર શરુ કર્યું છે, આ કેન્દ્ર માળખાગત કામકાજમાં રહેલી તકોને ઘરઆંગણાની નજીક લાવે છે.

ભારતભરની દસ લાખ મહિલાઓને ટકાઉ આજીવિકા સાથે જોડવાનો અદાણી ફાઉન્ડેશન પ્રેરીત સ્વાભિમાન કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. આ હેતુ અંતર્ગત મહિલાઓને અનૌપચારિક તેમજ અનિયમિત કાર્યમાંથી બહાર લાવી બજારો સાથે જોડાયેલ સ્થિર આવક પેદા કરતી તકો તરફ આગળ વધવા માટે તેમનામાં આત્મવિશ્વાસ જગાવી મહિલાઓના સશક્તિકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તાલીમ અને ઉત્પાદનની સુવિધાને સાંકળીને ડિઝાઇન કરવામાં આવેલા અને ૪૮,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ વિશાળ સંકૂલમાં ૬00 આધુનિક સીલાઇ મશીનો તેની સંપૂર્ણ ક્ષમતાએ કાર્ય કરશે. આ સંકુલમાં મહિલાઓ વ્યવહાર કુશળતા અને નિયમિત આજીવિકાની તકો પ્રાપ્ત કરશે. કેન્દ્રનો વિકાસ થતો જશે તેમ તેમ લગભગ ૧,૫00 મહિલાઓ સ્થાયી આવક મેળવવાના વધુ આત્મવિશ્વાસ સાથે તેમના પરિવારોનો મહત્વનો આધાર બનશે તેવી અપેક્ષા છે.

પૂર્વોત્તર ક્ષેત્રના અને કેન્દ્રીય સંદેશાવ્યવહાર અને વિકાસ મંત્રી અને ગુના મતવિસ્તારના સંસદ સભ્ય શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આસપાસના ગામોમાંથી હાજર રહેલી ૫,000 થી વધુ મહિલાઓની હાજરીમાં આ સુવિધા ખુલ્લી મૂકી હતી.

આ પ્રસંગે સંબોધન કરતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે, “બદરવાસમાં આપણે મહત્વાકાંક્ષાની શક્તિ આકાર લઈ રહ્યાનું જોઈ રહ્યા છીએ તેના સ્વપ્નદ્રષ્ટા અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનને કૌશલ્ય વૈશ્વિક બજારો સુધી પહોંચી શકે છે તેની પ્રતિતી કરાવતું આ પ્લેટફોર્મ બનાવવા માટે અભિનંદન આપું છું. તેમણે કહ્યું હતું કે મારી સ્નેહાળ દીદીઓની આંખોમાં પોતાનો સંકલ્પ છલકતો જોઈ શકાય છે. તેમની આશાઓ અને આકાંક્ષાઓ અર્થપૂર્ણ આજીવિકા દ્વારા અભિવ્યક્તિ શોધી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કેન્દ્ર સશક્તિકરણનું સાચું એન્જિન બની રહેવા સાથે આવતા પાંચ વર્ષોમાં બદરવાસના ઉત્પાદનોની ગુણવત્તાની ગુંજ દેશ અને દરિયાપાર ગુંજશે.

અદાણી ફાઉન્ડેશનના સી.ઈ.ઓ ડૉ. અભિષેક લખતકિયાએ જણાવ્યું હતું કે મહિલાઓના સશક્તિકરણનું ગૌરવ ગાન કમાણી કરવાની ક્ષમતાથી શરૂ થાય છે તેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. પ્રીતિ અદાણીના વિશ્વાસને અનુસરીને શરુ થયેલું આ કેન્દ્ર સ્વાભિમાનના કૌશલ્યને સતત આવકમાં ફેરવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું હતું કે મહિલાઓને વાસ્તવિક કામકાજ અને બજારો સાથે જોડીને અમે તેમને નાણાકીય રીતે સ્વાવલંબી બનાવીને તેમના પરિવાર અને સમાજમાં મજબૂત ભૂમિકા અદા કરવા માટે સક્ષમ બનાવી રહ્યા છીએ.

બદરવાસમાં, આ અભિગમથી ઘરની આવકમાં સુધારો થશે, અનૌપચારિક કાર્ય પર નિર્ભરતા ઓછી થશે અને સ્થળાંતરની જરૂરિયાત મર્યાદિત થશે, જ્યારે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી મજબૂત થશે તેવી અપેક્ષા છે.
અદાણી ફાઉન્ડેશન માળખાગત સુવિધાઓ, કૌશલ્ય અને બજારની પહોંચ તરફ લક્ષ્ય રાખીને મહિલાઓ નિયમિત કમાણી કરી શકવા સાથે પોતાના તેમજ તેમના પરિવારનું વધુ સુરક્ષિત ભવિષ્ય બનાવી શકે તેની ખાતરી સાથે સક્રીય રીતે કાર્ય કરી રહ્યું છે. .
ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન આ વર્ષે ૧૧મી ઓગસ્ટે તેની 30મી વર્ષગાંઠ ઉજવશે તે વેળા ભારતના સમગ્ર વિસ્તારમાં સમાવેશી વિકાસ માટે ત્રણ દાયકાની સતત પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button