એજ્યુકેશન
ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સુરત ખાતે મતદાન જાગૃતિ માટે પ્રતિજ્ઞા

સુરત : ટી એન્ડ ટી.વી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ,વિનસ હોસ્પીટલ ,રામપુરા,સુરત ખાતે નર્સિંગ ના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સભ્યો દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. દેશના લોકતંત્રને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવું જોઈએ તે સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ પ્રો. કિરણકુમાર દોમાડિયાની ઉપસ્થિતિમાં વાઇસ પ્રિન્સિપાલ જીમી જેમ્સ મોગરિયા ના જન્મ દિવસે તેમના દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં વરિષ્ઠ ફેકલ્ટી સભ્યશ્રીઓ તન્વી ભાટિયા, સ્વાતિ ગામિત ,ફેકલ્ટી સભ્યો , વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવી લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી વધારવાનો હતો.



