ધર્મ દર્શનસુરત

આચાર્યવિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજાના ગચ્છાધિપતિરાજ પટ્ટાભિષેકનો અદ્ભૂત ઐતિહાસિક કાર્યક્રમ શરૂ થશે

સૌથી પ્રથમ વાર એક સમવસરણની ભવ્ય ને દિવ્ય રચના કરવામાં આવી છે

સુરત : જિનશાસનમાં તીર્થંકર પરમાત્મા શાસન સ્થાપ્યા પછી એને સંભાળવાની જવાબદારી એમની પાત્રતા – પુણ્યાઈ ને પ્રતિભા ને જોઈ યોગ્ય વ્યક્તિને સોંપવામાં આવે છે એમ પરંપરામાં પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના નાયકપદે ગચ્છાધિપતિ પદે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજાને સ્થાપવામાં આવશે જેથી જૈન સમાજમાં ભારે ઉત્સાહ ને ઉલ્લાસનો અદ્ભૂત માહોલ સર્જાયો છે.

જિનશાસનના સર્વોચ્ચ પદ પર આરૂઢ કરવા માટે સુરત વેસુ – ગુરુ લબ્ધિ સામ્રાજ્ય (બલર ફાર્મ – હેપ્પી એક્સીલેન્સીયા ની સામે) ની ભવ્યાતિ ભવ્ય નગરી ઉભી કરવામાં આવી છે જેમાં સૌથી પ્રથમ વાર એક સમવસરણની ભવ્ય ને દિવ્ય રચના કરવામાં આવી છે. જે સમગ્ર આયોજનનું વિશેષ આકર્ષણ રહેશે. ચઢીને જઈ શકાય એવું વિરાટ ત્રણ ગઢની રચના કલાત્મક રીતે કરાઈ છે. આર્ટ ગેલેરી થશે. પૂ. ગુરુદેવશ્રીના જીવનની ઝાંખીને આબેહૂબ રૂપ અપાયું છે. વિશાલ ગેટ, બેનમૂન સ્ટેજ ને મોટા મોટા ડોમ ઉભા કરાયા છે. દેશ-વિદેશથી ભાવિકોને નિમંત્રિત કરાયા છે. સ્પેશિયલ વ્યવસ્થાઓ ઉભી કરાય છે.

ચાર દિવસના અદ્ભૂત કાર્યક્રમ

વિશેષ સુરત શહેરમાં બિરાજમાન દરેક સમુદાયના આચાર્ય ભગવંતો, પદસ્થોને ગુરુ ભગવંતો સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતી કરતા લગભગ ૩૬ આચાર્ય ભગવંતો – ૩ ગચ્છાધિપતિ ભગવંતોને હજાર સાધુ-સાધ્વીજી ભગવંતો આ કાર્યક્રમની વિશેષને યાદગાર શોભા હશે. આ કાર્યક્રમ પ્રાયઃ સુરત શહેરમાં દેશમાં પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે. જેમાં ચાર દિવસના અદ્ભૂત કાર્યક્રમમાં જોડાવવા લોકો ઉલ્લાસિત બન્યા છે. તા. ૧૯ ફે થી ૨૨ ફે. નો આ કાર્યક્રમ રહેશે. વિશેષ આ પદવીને નવાજવા ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી  સી.આર.પાટીલ, મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢા આદિ અનેક M.L.A. નગરસેવકો, M.P આદિ પધારશે. અનેક શ્રી સંઘો – સમાજો – ભક્તો – મહાનુભાવો શ્રેષ્ઠીઓ ટ્રસ્ટીઓ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહી ગુરૂભક્તિ કરશે. સુરત શહેરમાં એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે.

સાક્ષાત્ સમવસરણની ઝાંખી  પ્રથમવાર નિર્માણ કરાઈ છે

આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે જેમ પ્રભુ મહાવીર સ્વામીજીનું સમવસરણ રચાયુ હતુ. એવું જ આબેહૂબ ૮૧ ફૂટનું ડાયા મીટરમાં પથરાયેલુ – વિશાળ ને ૩૬ મીટર ઉંચુ ત્રણ ગઢવાળુ સમવસરણ ઉભુ કરાયુ છે. જેમાં દરેક વ્યક્તિ ચઢી ને જઈ શકશે ને બેસી ને લાઈવ સમવસરણ નેજાણી – સમજી ને અનુભવી શકશે. સાક્ષાત્ સમવસરણની ઝાંખી પ્રાયઃ પ્રથમવાર નિર્માણ કરાઈ છે. વી.આર.
ટેકનોલોજીથી સમવસરણનું પ્રદર્શન ઉભુ કરાયુ છે દેશના ખ્યાતનામ બેસ્ટ કલાકારો ને સ્પેશિયલ બોલાવાયા છે. ને સૌથી નીચેના ભાગમાં, ૫૫૦૦ સ્કે. ફિટ ના એરિયામાં સ્પેશિયલ આર્ટ ગેલેરી બનાવાઈ છે જેના આઠ ખંડો બનશે. એમાં, જૈન શાસનમાં ગુરૂનું મહત્વને ગચ્છાધિપતિ બનતા ગુરુદેવશ્રી નું શાસનમાં શું-શું યોગદાન છે એ નું વિશદ ડેમોસ્ટ્રેશન ખડુ કરાયુ છે.

૯૮ ભાષામાં ૧૦૮ ગ્રંથોનું એક સાથે વિમોચન થશે

૯૮ ભાષામાં ૧૦૮ ગ્રંથોનું એક સાથે વિમોચન થશે જે એક વિરલ ઘટના હશે. એનો પણ એક પ્રદર્શન ખંડ નિર્માણ કરાયો છે. જેની એન્ટ્રી ગેટમાં ૨૪X૧૮ફૂટની મોટી-લાંબી એક Book બનાવાશે જેમાં ૧૦૮ ગ્રંથોના મુખપૃષ્ઠ છપાયા હશે. આવા એકથી એક ચઢિયાતા કાર્યક્રમોથી આ પદવી પ્રદાન પ્રસંગ યાદગાર ને નવી દિશા સમાજને શાસનને મળે એવા આયોજનો થયા છે.

આ સમગ્ર કાર્યક્રમ શ્રી લબ્ધિ-વિક્રમ જનસેવા ટ્રસ્ટ ને સમસ્ત સુરત જૈન સંઘ ભેગા મળી ઉજવી રહ્યા છે. ને સુરત શહેરના યુવક મંડળો સંચાલન કરશે. દેશના ખ્યાતનામ કલાવિદો પધારશે. આ આયોજનને સફળ કરવા દેશભરમાંથી યંગસ્ટરો જોડાશે.
આખું શહેર છેલ્લા ૧૫ દિવસથી જોર-શોરમાં ગુરુભક્તિમાં જોડાયું છે. ગુરુ લબ્ધિ સામ્રાજ્યની જે નગરી ઉભી કરાઈ છે જેને જોવા લાખો ભાવિકો ઉમટી રહ્યા છે. સમાજ ઉત્થાનને સમાજ વિકાસના કાર્યક્રમોથી આ પ્રસંગની આગવી ઓળખ આપશે… ભિક્ષુકદાન આદિ અનુકંપા – જીવદયા – સાધર્મિક ભક્તિના અનેક આયોજનો ગોઠવાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button