એડવાન્ટેજ વિદર્ભ-૨૦૨૬માં જીત અદાણીએ વિદર્ભના વિકાસમાં અદાણી સમૂહની ભૂમિકાનો ચિતાર પ્રસ્તુત કર્યો
આ પ્લેટફોર્મનો વ્યાપ મહારાષ્ટ્ર પૂરતો નહી પણ ભવિષ્યના ભારતના સ્વપ્નદ્રષ્ટાઓને જોડે છે

નાગપુર તા.૬, ટુકડોજી મહારાજના ઉપદેશોથી લઈને આધુનિક મહારાષ્ટ્રને આકાર આપતા સુધારાવાદી આંદોલનો મારફત મહારાષ્ટ્રના વિદર્ભે ભારતના નૈતિક અને બૌદ્ધિક પાયાને સતત મજબૂત બનાવ્યા છે. વહીવટી દ્રષ્ટીએ મહત્વનું અને એક સમયે મધ્ય પ્રાંત અને બેરારની રાજધાની તેમજ મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની નાગપુર આજે એક ઐતિહાસિક વહીવટી કેન્દ્રથી ઉદ્યોગ, નવીનતા અને કનેક્ટિવિટીના ઉભરતા કેન્દ્રમાં વિકસિત થયું છે, એમ અદાણી સમૂહના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું છે.
આજે નાગપુરમાં એડવાન્ટેજ વિદર્ભ -૨૦૨૬ને સંબોધતા જીત અદાણીએ કહયું હતું કે આ પ્લેટફોર્મ ફક્ત વિદર્ભ કે મહારાષ્ટ્ર પુરતું સીમિત નહીં રહેતા તે ભારતના ભવિષ્યને આકાર આપનારા સ્વપ્નદ્રષ્ટાઓને એકસાથે જોડે છે ત્યારે પૌરાણિક ગ્રંથોમાં વિદર્ભને અસાધારણ કારીગરી, સાંસ્કૃતિક ઊંડાણ, શાણપણ અને હિંમતની ભૂમિ તરીકે વર્ણવાયું છે.રુકમણિની ભૂમિ વિદર્ભ પ્રદેશને પ્રજા લાંબા સમયથી સભ્યતા, જ્ઞાન અને સંસ્કૃતિના સંગમ તરીકે ઓળખે છે. શહેરી આયોજન, શૈક્ષણિક સંસ્થાઓ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ માટે પ્રખ્યાત લોજિસ્ટિક્સ, ઉડ્ડયન અને ટેકનોલોજીમાં અગ્રણી તરીકે ઉભરી આવેલા નાગપુરનું ઝડપથી આધુનિકીકરણ થઇ રહ્યું છે.
જીત અદાણીએ કહ્યું હતું કે આજે જે ગતિએ વિકાસ દેખાય રહ્યો છે. તેના પાયામાં વિદર્ભની સંભાવનાઓને અનલૉક કરવામાં નેતાઓની રાજકીય મૂડી, વહીવટી દ્રષ્ટિ અને વ્યક્તિગત દૃઢતા રહેલી છે. સમાવેશી વિકાસને પ્રોત્સાહનના હિમાયતી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિભા અને સંસાધનોથી વિદર્ભ જેવા ભારતની વિકાસગાથામાં મોખરે રહેલા સમૃદ્ધ પ્રદેશો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને સ્વચ્છ ઉર્જા પરના તેમના લક્ષ્યથી રોકાણો ખીલી શકે તેવા માહોલનું નિર્માણ થયું છે. સમગ્ર ભારતમાં કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવવાનો યશ વિદર્ભના પનોતા પુત્ર નીતિન ગડકરીને આપતા શ્રી અદાણીએ કહ્યું કે તેમના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફક્ત એન્જિનિયરિંગ નહી પણ રાષ્ટ્રનિર્માણ છે. હાઇવે, એક્સપ્રેસવે અને લોજિસ્ટિક્સ કોરિડોર ભારતના આર્થિક જોમ જુસ્સાની ધમનીઓ છે, જે તુકડોજી મહારાજના સેવા અને હેતુના સમાન સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે.
સંતુલિત પ્રાદેશિક વિકાસના મજબૂત હિમાયતી દેવેન્દ્ર ફડણવીસે વિદર્ભને પ્રાથમિકતા આપવાના સતત પ્રયાસોએ વિકાસની તકોને આકાર આપ્યો છે જે આપણી સામે છે.

વિદર્ભમાં અદાણી સમૂહની હાજરી વ્યવહારિક નહી પણ પેઢીગત હોવાનું જણાવતા જીત અદાણીએ કહ્યું હતું કે અમે ભારતના સ્વચ્છ અને વિશ્વસનીય ઉર્જાના ભવિષ્યને બળવાન બનાવવાના હેતુથી એક સંકલિત ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમનો વિકાસ કરીને સમુદાયો અને યુવાનોને તેની સાથે સમાવેશી વિકાસને સક્ષમ બનાવવા અને ઉચ્ચ ગુણવત્તાવાળી નોકરીઓનું સર્જન કરવા આ ભૂમિ ઉપર આવ્યા છીએ.મારા પિતાની પરિકલ્પના મુજબના વિકાસની આ ફિલસૂફી સાથે એક જવાબદારીને અમે નિષ્ઠા અને ગર્વ સાથે આગળ ધપાવીએ છીએ.
આ પ્રસંગે જીત અદાણીએ અદાણી સમૂહના વિદર્ભમાં વિવિધ પ્રક્લ્પોની માહિતી આપતા કહ્યું હતું કે તિરોડામાં કાર્યક્ષમતા અને પર્યાવરણીય જવાબદારીના ઉચ્ચતમ વૈશ્વિક ધોરણો અનુસાર નિર્માણ કરેલા મહારાષ્ટ્રના સૌથી મોટા અને અદ્યતન 3,300 મેગાવોટ ક્ષમતાના સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટનું અમે સંચાલન કરીએ છીએ. તણાવપૂર્ણ સંપત્તિઓની સમસ્યા ઉકેલીને ભારતના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવતો ૬00 મેગાવોટ ક્ષમતાનો બુટીબોરી પાવર પ્લાન્ટ ૨૦૨૫માં અમે પુન:કાર્યાન્વિત કર્યો છે. મહારાષ્ટ્રના ઉદ્યોગો, તેના શહેરો અને ડિજિટલ અર્થતંત્રને ટેકો આપતી કરોડરજ્જુ એવા મહારાષ્ટ્રમાં ૨૫ વર્ષના સપ્લાય કરાર સાથે અમે હાલમાં ૬,૬૦૦ મેગાવોટ વિશ્વસનીય વીજળી સુનિશ્ચિત કરીએ છીએ, જે ખાવડામાંથી સૌર ઉત્પાદનને મજબૂત થર્મલ બેઝલોડ સપ્લાય સાથે જોડે છે.
રુ.૭0,000 કરોડના કલમેશ્વરના લિંગા ખાતેનું કોલસા સંકલિત ગેસિફિકેશન અને ડાઉનસ્ટ્રીમ ડેરિવેટિવ્ઝ સંકૂલને જીત અદાણીએ તેમના સમૂહની સૌથી પરિવર્તનશીલ પ્રતિબદ્ધતાઓમાંનો એક ગણાવ્યો હતો. આ પ્રકલ્પ ૩0,000 સીધી નોકરીઓનું સર્જન કરવા સાથે અદ્યતન રાસાયણિક ઉત્પાદન ક્ષમતાઓનું નિર્માણ કરી મહત્વપૂર્ણ ઉદ્યોગો માટે ઊર્જાની સ્વતંત્રતા વધારશે અને સ્વચ્છ ઊર્જા ટેકનોલોજીના વૈશ્વિક નકશા પર નાગપુરને શિરમોર સ્થાન આપશે એમ જણાવી તેમણે કહ્યું હતું કે ઓછામાં ઓછી જમીનનો ઉપયોગ, વિસ્થાપન અને બ્લાસ્ટિંગ રહીત તેમજ વરસાદી પાણીનો સંગ્રહની સુવિધા, ગંદા પાણીનો શૂન્ય નિકાલ અને ૫,000 વૃક્ષ વાવેતરની પહેલ સાથે ગોંડખૈરીમાં હાથ ધરવામાં આવેલ ભૂગર્ભ ખાણકામ અમારા જવાબદાર ખાણકામના સુવર્ણ માનકનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમણે કહ્યું હતું કે અમે બોરખેડી ખાતે ૭૫ એકર જમીનમાં ICD અને સમગ્ર મહારાષ્ટ્રમાં ૨૪ સરહદી ચેક પોસ્ટના સંપાદન દ્વારા લોજિસ્ટિક્સ ગેટવે તરીકે વિદર્ભની ભૂમિકાને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. આ અસ્ક્યામતો નૂર ખર્ચ ઘટાડી નિકાસ વધારે છે અને હજારો વ્યવસાયોની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરે છે.
તેમણે નાગરિક ઉડ્ડયનમાં અદાણી સમૂહની ભૂમિકાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ઉડ્ડયન અને સંરક્ષણ ક્ષેત્રે ઇન્ડામર ટેકનિક્સ પ્રા. લિ.ના સંપાદનથી મિહાન ખાતે ૩૦ એકર જમીનમાં MRO સંકુલનો વિસ્તાર થયો છે. ૧૫ એરક્રાફ્ટ, બે FAA અને DGCAના પ્રમાણપત્રો તેમજ એર વર્ક્સના ગ્લોબલ નેટવર્કના એકીકરણ સાથે નાગપુર ઝડપથી વિમાન જાળવણી, મરામત અને ઓવરહોલ માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
માળખાગત સુવિધાઓની સાથે સામાજિક જવાબદારી અદા કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરતા તેમણે માહિતી આપી હતી કે અદાણી ફાઉન્ડેશન ગોંદિયા અને નાગપુરમાં ૪૩ SHG, ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ અને સૌર પ્રકાશ, સ્વચ્છ પાણી, રમતગમત અને શાળા વિકાસની પહેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય સંભાળ, શિક્ષણ, મહિલા સશક્તિકરણને સમર્થન આપી રહ્યું છે. આ ગૌરવ, સમાવેશી અને કરુણાની ત્રિવેણી ધરી પર થઇ રહેલો વિકાસ છે.
અમે ૨૦૩૦ સુધીમાં ૧00 મિલિયન વૃક્ષો વાવવાના અમારા સંકલ્પ તરફ આગળ વધી રહ્યા છીએ. અદાણી એનર્જી સોલ્યુશન્સ ૨૦૨૭ સુધીમાં ૬0% નવીનીકરણીય સ્ત્રોત પ્રાપ્ત કરવાના માર્ગ પર છે એમ તેમણે કહ્યું હતું. વિદર્ભવાસીઓની ઊર્જા, સર્જનાત્મકતા અને મહત્વાકાંક્ષાને બિરદાવતા કહ્યું હતું કે અદાણી સમૂહ તેમની સાથે લાંબા ગાળાના ભાગીદાર તરીકે સજ્જતા સાથે મોજૂદ છે.



