એજ્યુકેશન

પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સ્કુલનું પરિણામ 100 %

શ્રેષ્ઠ પરિણામોની પરંપરા જાળવતી શિક્ષણ જગતની અગ્રણી એક માત્ર સંસ્થા પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ( CBSE ) અબ્રામા જ છે. આ વર્ષે પણ તેમણે પોતાની પરંપરા જાળવી અને અહીનાં વિદ્યાર્થીઓએ સફળતાનો પરચમ સમગ્ર સુરત શહેરમાં લહેરાવ્યો છે.

ડાયમંડ શહેર સુરતની જીવનધારા સમાન તાપી નદીનાં કિનારે આવેલ અને શિક્ષણ જગતની શ્રેષ્ઠ સંસ્થા પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામાનાં વિદ્યાર્થીઓએ CBSE – 2022 ની ધોરણ દશમાંની બોર્ડ પરીક્ષામાં સફળતાનું નવું શિખર જ શેર કર્યું છે. આ સ્કુલનાં તારલાઓએ જ્વલંત સફળતા મેળવી અને પી. પી. સવાણી પરિવારનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ છે. આ વર્ષે ધોરણ દશમાં કુલ 230 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. તેમાંથી તમામ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. સમગ્ર સ્કુલનું પરિણામ 100 % છે .

A 1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ 12 છે . A 2 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ 56 છે. આ તમામ વિદ્યાર્થીઓની સફળતા પાછળ પી. પી. સવાણી પરિવાર, શાળાનાં ઉર્જાવાન આચાર્ય, અધ્યાપકો અને વાલીઓની કઠોર તપસ્યાનું જ પરિણામ છે. જેથી આજે સુરત મહાનગરમાં આ શાળાનું નામ ગુંજતું થઈ ગયું છે. આ તમામ વિદ્યાર્થીઓને પી. પી. સવાણી પરિવાર, આચાર્ય અને અધ્યાપકો તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવાય છે કે, જેમણે પોતાની આગવી મહેનત, ખંત અને પ્રતિભાથી આ સ્કુલનું જ નહીં પણ સમગ્ર પી. પી. સવાણી પરિવારનું નામ રોશન કરેલ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button