
સુરત: એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણીના 75માં જન્મ દિવસ ના પ્રવેશ નિમિતે (ડાયમંડ જ્યુબિલી) ફાધર્સ ડે પર શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે તેમના પુત્ર અને ગ્રુપના વાઇસ ચેરમેન ધર્મેન્દ્ર સવાણીએ તેમના પિતાને ભાવુક શબ્દોમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને જીવનમાં તેમના માર્ગ પર ચાલવાની વાત કરી.આ પ્રસંગે એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સે પણ સમાજ સેવાની ભાવના સાથે રક્તદાન શિબિરનું આયોજન કર્યું.
ધર્મેન્દ્ર સવાણીએ કહ્યું, “મારા પિતાએ બાળપણથી મને જે કંઈ શીખવ્યું હતું, હું હજુ પણ તેનું પાલન કરી રહ્યો છું. આ જ કારણ છે કે એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ સફળતાની ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. મારા પિતા ૫૦ ટકા વ્યવસાયમાં અને ૫૦ ટકા સમાજ સેવામાં માંને છે. તેઓ ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી છે અને સેવાની ભાવના સાથે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો જેવી સંસ્થાઓમાં યોગદાન આપી રહ્યા છે. તેમનો જીવન સિદ્ધાંત છે – ‘પોતે સારું કરો અને બીજાને પણ સારું કરવા દો.'”
ધર્મેન્દ્રભાઈએ એમ પણ જણાવ્યું કે તેમના પરિવારના બધા સભ્યો, પત્ની અને ત્રણ બહેનો પણ માવજીભાઈના સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છે. ભવિષ્યમાં નવી શાળાઓ, કોલેજો અને સાહસો ખોલવાની યોજના પણ વ્યક્ત કરવામાં આવી હતી.
ધર્મેન્દ્રભાઈએ એમ પણ જણાવ્યું કે એલ.પી. સવાણી ગ્રુપની શાળાઓમાં ભણતા 15000 થી 20000 વિદ્યાર્થીઓ દર વર્ષે બે મુઠ્ઠી અનાજનું દાન કરીને લગભગ 1500 કિલો જેટલું અનાજનું દાન પી પી સ્વામી ની પ્રયોશા પ્રતિષ્ઠા સંસ્થાને મદદ કરે છે. આ પહેલથી બાળકો અને માતા-પિતામાં સેવા અને દાન કરવાની ભાવના વધી છે.
લસકાણા વિસ્તારમાં આવેલી જે બી એન્ડ કાર્પ વિધાસંકુલ કેમ્પસમાં ૨૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં માવજીભાઈ પણ ટ્રસ્ટી છે અને તેમણે તે કેમ્પસની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમના જન્મદિવસ પર, માવજીભાઈ સવાણીએ પણ તેમની જીવનયાત્રા શેર કરતા કહ્યું, “હું ૧૯૬૬માં સુરત આવ્યો હતો અને હીરા ઉદ્યોગથી શરૂઆત કરી હતી. ૧૯૮૮ પછી, મેં જમીન વ્યવસાયમાં અને પછી ૨૦૦૨માં શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સૌથી સંતોષકારક અનુભવ શાળાઓમાં બાળકોની સેવા કરવાનો હતો. શિક્ષણ ક્ષેત્રમાં મને મળેલો આદર, પ્રેમ અને સહકાર કોઈપણ નાણાકીય લાભ કરતાં ઘણો મૂલ્યવાન છે.”
તેમણે પી.પી. સ્વામીની પ્રયોશા પ્રતિષ્ઠા સંસ્થાનને બચાવવા માટેના સંઘર્ષોને પણ યાદ કર્યા અને કહ્યું, “જ્યારે તેઓ મુશ્કેલીમાં હતા, ત્યારે મેં ગોવિંદભાઈ ધોળકિયા (રામકૃષ્ણ) સાથે મળીને તેમને મદદ કરી હતી. આજે તે સંસ્થા અને ત્યાં અભ્યાસ કરતા બાળકોનું પુનર્નિર્માણ જોઈને મને ગર્વ થાય છે.”