
સુરત : એલ.પી. સવાણી અકેડેમીએ બિઝનેસ સ્ટાર્ટ-અપ કોન્ફલ્યુઅન્સ 2026 ના ઉદ્ઘાટન સાથે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે સંસ્થા ગુજરાતમાં શાળાના સ્તરે આ પ્રકારનો અનોખો ઉદ્યોગસાહસિક કાર્યક્રમ શરૂ કરનાર પ્રથમ શાળા બની છો
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિગ્નેશ પાટીલ હાજર રહ્યા હતા, તેમજ વાઈસ ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર સવાણી અને ડિરેક્ટર પૂર્વી સવાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને નવીન વિચારસરણી અપનાવવા અને નાની ઉંમરે ઉદ્યોગસાહસિકતા તરફ આગળ વધવા પ્રેરિત કર્યા।
પ્રિન્સિપાલ ડૉ. મૌતોશી શર્મા એ વિદ્યાર્થીઓને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સર્જનાત્મકતા વિકસાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસી વિચારક, સમસ્યા ઉકેલનાર અને ભવિષ્યના નેતાઓ બનાવે છે

ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે રચાયેલ આ કાર્યક્રમ તેમને સ્ટાર્ટ-અપ બનાવવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપે છે. આ પહેલના માર્ગદર્શકોમાં સાગર પટેલ, મૈત્રી જરીવાલા, મીત ઝવેરી, દિશાંત ગાંધી, સન્ની કાબરવાલા, ચેતન કનાણી અને અજય સોનવણેનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને સમગ્ર કાર્યક્રમ દરમિયાન માર્ગદર્શન આપશે।
આ 8 મહિના સુધી ચાલનાર કાર્યક્રમમાં કુલ 16 સત્રો અને 16 મોડ્યુલોનો સમાવેશ થાય છે, જેમાં ઉદ્યોગસાહસિકતા, ડિઝાઇન થિંકિંગ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, સેલ્સ અને ગ્રોથ સ્ટ્રેટેજીઝ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે। પ્રાયોગિક અભ્યાસ પર ભાર મૂકીને વિદ્યાર્થીઓને તેમના વિચારોને વાસ્તવિક બિઝનેસમાં રૂપાંતરિત કરવાની તક મળશે।
બિઝનેસ સ્ટાર્ટ-અપ કોન્ફલ્યુઅન્સ એ એક એવું મંચ છે જ્યાં બુદ્ધિ અને સર્જનાત્મકતા મળે છે, અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરે છે
આ પહેલ દ્વારા એલ.પી. સવાણી અકેડેમીએ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છો



