એજ્યુકેશન

પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનું પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ

સુરતઃ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામાનાં વિદ્યાર્થીઓએ CBSE – 2023 ની ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં સફળતાનું નવું શિખર સર કર્યું છે. આ સ્કુલનાં તારલાઓએ જ્વલંત સફળતા મેળવી અને પી. પી. સવાણી પરિવારનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ છે.

સ્કૂલના 10 વી ની વિદ્યાર્થી હિરવા મેસિયા ને 97.2 % આવ્યાં છે.  સાયન્સમાં 99 માર્કસ પ્રાપ્ત કર્યા છે. જેનીલ ૯૬.૦૪% , ઈશિકા બાલધા ૯૪.૪૦% , નીલ લાઠીયા ૯૪.૦૦% ,આ તમામ વિદ્યાર્થીઓની સફળતા પાછળ પી. પી. સવાણી પરિવાર, શાળાનાં ઉર્જાવાન આચાર્ય, અધ્યાપકો અને વાલીઓની કઠોર તપસ્યાનું જ પરિણામ છે.

શાળા પરિવારના ચેરમેનશ્રી વલ્લભભાઈ સવાણી, સેક્રેટરીશ્રી હર્ષદભાઈ રાજ્યગુરુ , ટ્રસ્ટીશ્રી શ્રી જૈમીન રાજ્યગુરુ, ડીરેકટરશ્રી પ્રણય જરદોશ, આચાર્યશ્રી હરીશ ચંદ્ર ખીચી તથા શિક્ષકગણ જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button