ગુજરાતબિઝનેસસુરત

ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો – નિર્યાતકારોને જાણકારી આપવાના હેતુથી ‘ઓન સાઇટ એક્ષ્પોર્ટ માર્કેટ મોબિલાઇઝેશન, સેન્સીટાઇઝેશન એન્ડ ટ્રેઇનીંગ પ્રોગ્રામ’વિષે સેમિનાર યોજાશે

સેમિનારમાં ડો. જગત શાહ દ્વારા ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટર્સને એક્ષ્પોર્ટ સંબંધિત મહત્વની જાણકારી અપાશે

સુરત. દેશમાંથી ટેક્ષ્ટાઇલનું એક્ષ્પોર્ટ વધે તે માટે ભારત સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ દિશામાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો તેમજ નિર્યાતકારોને વધુમાં વધુ માહિતી મળી રહે તે માટે તેઓને દિશાનિર્દેશ કરવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સિન્થેટિકસ એન્ડ રેયોન ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ર૧ જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ઓન સાઇટ એક્ષ્પોર્ટ માર્કેટ મોબિલાઇઝેશન, સેન્સીટાઇઝેશન એન્ડ ટ્રેઇનીંગ પ્રોગ્રામ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે અમદાવાદના ગ્લોબલ નેટવર્કના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ એન્ડ મેન્ટર ડો. જગત શાહ દ્વારા હેતુલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે.

આ સેમિનાર ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારો તેમજ નિર્યાતકારો માટે ખૂબ જ અગત્યનો બની રહેશે, આથી તેઓને આ સેમિનારમાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે, સેમિનારમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3Xx16o3 ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button