બિઝનેસસુરત

સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે થયેલ નવા હોદ્દેદારોની બીન હરીફ વરણી

પ્રમુખ તરીકે  નિલેશભાઈ એમ. ગામી, ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી, સેક્રેટરી તરીકે મયુર જયવદન ગોળવાલા તથા ખજાનચી તરીકે  વસંતકુમાર એલ. લાખાણીની બીન હરીફ વરણી

સુરત :  સચીન ઈન્ડ.કો.ઓ.સોસાયટી લી.ની કારોબારી સમિતિની બેઠક સોસાયટી બોર્ડરૂમ ખાતે આજ તા. ૦૧/૦૮/૨૪ નાં રોજ સાંજે ૪.૦૦ કલાકે મળેલ. જેમાં સોસાયટીનાં નવા હોદ્દેદારોની વરણી લગત ચર્ચા હાથ ધરવામાં આવેલ હતી. સદર બાબતે ચર્ચા વિચારણા દરમ્યાન નવા પ્રમુખ તરીકે  નિલેશભાઈ એમ. ગામી, ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી, સેક્રેટરી તરીકે મયુર જયવદન ગોળવાલા તથા ખજાનચી તરીકે  વસંતકુમાર એલ. લાખાણીની બીન હરીફ વરણી કરવામાં આવેલ છે. જેમાં મયુર જે. ગોળવાલા બીજી ટર્મ માટે સંસ્થાનાં સેક્રેટરી તરીકે ચુંટાઈ આવ્યા હતા.

સોસાયટીના કારોબારી સમિતિનાં ૧૭ સભ્યોની પાંચ વર્ષની મુદત માટેની ચૂંટણી ગત વર્ષે તા. ૨૨/૦૭/૨૩ નાં રોજ થયેલ હતી. જેમાં પરીવર્તન પેનલનાં ૧૬ સભ્યો જંગી બહુમતિથી ચુંટાઈ આવ્યા હતા. ચુંટણી દરમ્યાન ઉદ્યોગકારો વચ્ચે થયેલ ઘોષણા મુજબ ચુંટણીમાં વિજેતા થયેલ કારોબારી સમિતિનાં સભ્યોની પાંચ વર્ષની મુદત દરમ્યાન દર વર્ષે નવા હોદ્દેદારોની વરણી કરવાનું નકકી થયેલ. વળી જેના થકી દરેક સભ્યોને હોદ્દો મળ્યેથી પોતાનો અનુભવ અને વિચારો રજુ કરી કૂનેહપૂર્વક એસ્ટેટનાં વિકાસનાં કામ કરવાની આગવી તક તેઓને મળી રહે તે હકીકતે સોસાયટીનાં ઉપર જણાવેલ નવા હોદ્દેદારોની આજ રોજ બીન હરીફ વરણી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button