દેશવ્યાપી રક્તદાન પર્વ રુપે અદાણી ફાઉન્ડેશને ગૌતમ અદાણીનો ૬૪મો જન્મદિન ઉજવ્યો

અમદાવાદ : અદાણી સમૂહની સામાજિક-આર્થિક અને વિકાસ પ્રવૃત્તિ માટેની પાંખ અદાણી ફાઉન્ડેશનના ચેરમેને ૨૪ જૂનના ગૌતમ અદાણીના ૬૪મા જન્મદિનને નિમિત્ત બનાવી ઉજવણીના દિવસને સેવા, કરુણા અને આશાના રાષ્ટ્રવ્યાપી પર્વ તરીકે કરેલી ઉજવણીમાં ભારતભરના હજારો રક્તદાતાઓને આ પૂનિત કાર્યમાં જોડ્યા હતા.
૨૧ રાજ્યો, પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશો અને ચાર આંતરરાષ્ટ્રીય સ્થળોના ૭૫૪ થી વધુ શહેરોની ૭૬૪થી વધુ બ્લડ બેંકોના સહયોગમાં યોજાયેલી અદાણી ફાઉન્ડેશનની વાર્ષિક વિરાટ રક્તદાન ઝુંબેશ મારફત કુલ ૫૨,૩૦૬ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેણે ગત વર્ષનો ૨૮,૦૯૦ યુનિટનો વિક્રમ વટાવ્યો છે.
“સેવા હી સાધના હૈ” અંતર્ગત સમાજની સેવા એ યોગદાનના સર્વોચ્ચ સ્વરૂપોમાંનું એક છે તેવી ફિલસૂફીને વરેલી આ પહેલના અદાણી હેલ્થકેરની ટીમે કરેલા સંચાલનમાં અદાણીના કાયમી વિશ્વાસ પ્રતિબિંબિત થયો છે. આ પહેલે વ્યક્તિગત ઉદારતાના કાર્યો થકી અસંખ્ય માનવ જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાની શક્તિ સાથે સહિયારા પ્રયાસમાં પરિવર્તિત કર્યા હતા.
આ ઝૂંબેશ દ્વારા એકત્ર કરવામાં આવેલ અંદાજે ૨૩,૫૩૮ લિટર રક્તથી ૧,૫૬,૯૧૮ થી વધુ માનવ જીંદગીઓને લાભ થવાની અપેક્ષા છે, જેનાથી તેઓને રક્તના મહત્વના ઘટકોમાં સામેલ હોલ બ્લડ, પેક્ડ સેલ વોલ્યુમ (PCV), પ્લેટલેટ કોન્સન્ટ્રેટ્સ, પ્લાઝ્મા, ફ્રેશ ફ્રોઝન પ્લાઝ્મા (FFP), ક્રાયોપ્રિસિપિટેટ અને આલ્બ્યુમિનન ઉપલબધ કરાવી શકાશે. આ ઘટકો તાકીદની સારવાર, મોટી શસ્ત્રક્રિયાઓ, કેન્સરની સારવાર, માતૃત્વ આરોગ્ય સંભાળ અને ક્રોનિક તબીબી પરિસ્થિતિઓના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ગૌતમના ૬૪મા જન્મદિવસને તેમની “સેવા હી સાધના હૈ”ની ફિલસૂફીમાં વિશ્વાસને ઉચિત રીતે જીવંત કરવામાં આવ્યો હતો. દેશભરના દૂરસૂદુર વિસ્તારોમાં પથરાયેલા અદાણી પરિવાર દ્વારા આ વિરાટ રક્તદાન ઝુંબેશ શક્ય બની હતી. તેમણે લખ્યું છે કે ૫૨,૩૦૬ યુનિટ રક્ત. ૬,૦૦૦થી વધુ સ્વયંસેવકો. તેમજ ભારત અને વિદેશમાં ૭૫૦થી વધુ સ્થળો એ દરેક અદાણી અને તબીબી વ્યાવસાયિકો પ્રત્યે મારી ઊંડી કૃતજ્ઞતા છે જેમણે પોતાની બાંય આ કાર્ય માટે ધરી. આપના સેવા કાર્યથી ૧,૫૬,૯૦૦ થી વધુ દર્દીઓ અને તેમના પરિવારોને આશા અને શક્તિ મળશે.”
દેશભરમાં આવેલ રેડ ક્રોસની બ્લડ બેંકો, સરકારી હોસ્પિટલો અને ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્લડ બેંકોના સક્રીય અને ઉમદા સહયોગથી આ પહેલનો વ્યાપ શક્ય બન્યો હતો. અદાણી ગ્રુપના ડોકટરો, પેરામેડિક્સ, ડેટા ઓપરેટરો અને વહીવટી કર્મચારીઓ સહિત ૬,૦૦૦ થી વધુ સ્વયંસેવકોએ અભિયાનના સલામત અને સરળ અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામગીરી કરી હતી.
વર્ષ ૨૦૧૧માં ૧,૩૦૦થી વધુ યુનિટ રક્તદાનથી શરૂ થયેલી આ પરંપરા હવે ગૌતમ અદાણીના જન્મદિવસને અન્યોની સેવા દ્વારા માન આપતી એક કાયમી વાર્ષિક પરંપરામાં રુપાંતરિત થવા સાથે વર્ષોથી હાથ ધરાતી આ પહેલ આજે ભારતના સૌથી મોટા સ્વૈચ્છિક રક્તદાન અભિયાનોમાંની એક બની છે, એટલું જ નહી તે કર્મચારીઓ, ભાગીદારો અને સમુદાયોને જીવન બચાવવા માટે એક સહિયારી પ્રતિબદ્ધતા માટે એક સાથે લાવે છે.
સમાવેષી અને ટકાઉ વિકાસ પ્રત્યેની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી અદાણી ફાઉન્ડેશનની આ પહેલ ભાગીદારીના પ્રમાણ અને એકત્રિત યુનિટની સંખ્યાથી વધીને આ ઝુંબેશ એ યાદ અપાવે છે કે અર્થપૂર્ણ પરિવર્તન ઘણીવાર દયાના સરળ કાર્યોથી શરૂ થાય છે.
દાતાઓ ભૌગોલિક ક્ષેત્રો, વિવિધ ભાષી અને સમુદાયો જોડાઇ રહ્યા છે તે સાથે “સેવા હી સાધના હૈ” ની ભાવના તેના સૌથી શક્તિશાળી સ્વરૂપ પોતાનો એક ભાગ આપવો જેથી બીજા કોઈને જીવનમાં બીજી તક મળી શકે તે ભાવે અભિવ્યક્ત થઇ રહી છે.



