એજ્યુકેશનસુરત

સ્ટડી સર્કલના 25 વર્ષ પૂર્ણ: તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ‘એસસી-એચીવર્સ સેલિબ્રેશન’ યોજાયું

21 વખત સુરત ટોપર અને 7 વખત ગુજરાત ટોપર આપનાર સંસ્થાએ મહેનતને પરિણામ કરતાં વધુ મહત્વ આપ્યું

સુરત: શિક્ષણ ક્ષેત્રે 25 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરનાર સ્ટડી સર્કલ દ્વારા ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓના સન્માન માટે રવિવાર, 31 મે 2026ના રોજ સાયન્સ સેન્ટર ઓડિટોરિયમ ખાતે “એસસી-એચીવર્સ સેલિબ્રેશન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્ટડી સર્કલના ફાઉન્ડર ડિરેક્ટર નવીનભાઈ બચ્ચાવતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વર્ષો સુધી સતત મહેનત કરે છે અને પરિણામ જાહેર થયા બાદ તેમના તેમજ વાલીઓના ચહેરા પર જોવા મળતી ખુશી અને સંતોષ જ સંસ્થાની સૌથી મોટી ઉપલબ્ધિ છે. વિદ્યાર્થીઓના આ પ્રયત્નો અને સમર્પણને બિરદાવવા માટે દર વર્ષે “એસસી-એચીવર્સ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં સ્ટડી સર્કલના વિદ્યાર્થીઓએ 21 વખત સુરત ટોપર અને 7 વખત ગુજરાત ટોપર બનવાની સિદ્ધિ મેળવી છે. ઉપરાંત 30 વિદ્યાર્થીઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 200થી વધુ વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ ગુણ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને માર્ગદર્શન મળે તે માટે સ્ટડી સર્કલમાં 24 કલાક શિક્ષકોની સહાય ઉપલબ્ધ રહે છે. વિદ્યાર્થીઓ રાત્રિના મોડા સમયે પણ તેમના શૈક્ષણિક પ્રશ્નો અંગે શિક્ષકોનો સંપર્ક કરી શકે છે. આ કારણે સ્ટડી સર્કલ માત્ર કોચિંગ ક્લાસ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે ઘર જેવી લાગણી ધરાવતું શૈક્ષણિક કેન્દ્ર બની ગયું છે.

નવીનભાઈ બચ્ચાવતે વધુમાં જણાવ્યું કે છેલ્લા 25 વર્ષ દરમિયાન સ્ટડી સર્કલે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવામાં માર્ગદર્શન અને સહયોગ આપ્યો છે. હાલમાં સિટીલાઇટ, વેસુ, જે-9, સુમુલ ડેરી રોડ અને અડાજણ સહિત પાંચ શાખાઓ કાર્યરત છે. આગામી સમયમાં સુરતમાં વધુ ચાર નવી શાખાઓ શરૂ કરવાની સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પણ વિસ્તરણ કરવાની યોજના છે. ઉપરાંત ઓનલાઈન શિક્ષણ સેવા શરૂ કરવાનો પણ સંસ્થાનો લક્ષ્ય છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્ટડી સર્કલ માત્ર 90 ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ 70, 80 અને 85 ટકા પરિણામ મેળવનારા તેમજ નિષ્ઠાપૂર્વક મહેનત કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરે છે. સંસ્થાનું માનવું છે કે પરિણામ જેટલું મહત્વનું છે, એટલી જ મહત્વની મહેનત છે. દરેક વિદ્યાર્થીના પ્રયત્નોનું સન્માન થવું જોઈએ, કારણ કે મહેનતનું ફળ મોડું કે વહેલું, પરંતુ સફળતા સ્વરૂપે ચોક્કસ મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button