એન્ટરટેઇન્મેન્ટસુરત

સુરતીઓને ગરબે રમાડશે પૂર્વા મંત્રી: ‘યશવી નવરાત્રી-2026’ ના ભવ્ય આયોજનની જાહેરાત

સુરતના ગરબા પ્રેમીઓની પહેલી પસંદ બનેલી ‘યશવી નવરાત્રી’ હવે તેના ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ વર્ષે આયોજનને વધુ ભવ્ય બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સતત બે વર્ષની અભૂતપૂર્વ સફળતા બાદ, યશવી એન્ટરટેઇન્મેન્ટ્સ દ્વારા ખેલૈયાઓ માટે પરંપરા અને આધુનિકતાનો સુમેળ સાધતો એક અવિસ્મરણીય મહોત્સવ આયોજિત કરવામાં આવશે. આ વર્ષની સૌથી મોટી ‘ગ્રાન્ડ સરપ્રાઈઝ’ પરથી પડદો ઊંચકતા યશવી એન્ટરટેઇનમેન્ટસે જાહેર કર્યું છે કે, પ્રખ્યાત સિંગર પૂર્વા મંત્રી ‘યશવી નવરાત્રી-2026’ માં પોતાના સુરીલા અને પાવરફુલ અવાજે સુરતીઓને ગરબે રમાડશે. પૂર્વા મંત્રીની હાજરી આ વર્ષના મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહેશે, જેમના એનર્જેટિક પર્ફોર્મન્સથી નવરાત્રીની રાત્રિઓ વધુ જોશીલી અને યાદગાર બનશે.

સુપ્રસિધ્ધ સિંગર અને દેશી પોપ સ્ટાર તરીકે ઓળખાતી પૂર્વા મંત્રી એ પોતાની ગાયકી અને સ્ટેજ પરની અદભૂત એનર્જીથી લાખો લોકોનું દિલ જીત્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ગરબા ગીત આવતી કાલે (Aavati Kalay) પૂર્વા મંત્રીના અવાજમાં સત્તાવાર રીતે પીએમની યુટ્યુબ ચેનલ પર રિલીઝ પણ કરવામાં આવ્યું હતું. જેમના અવાજની પ્રશંસા ખુદ વડાપ્રધાને ‘X’ (ટ્વિટર) અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે, જે પૂર્વા માટે એક ગૌરવશાળી સિદ્ધિ છે. પૂર્વા મંત્રી માત્ર ભારતમાં જ નહીં, પણ વૈશ્વિક સ્તરે પોતાની કળાનો ડંકો વગાડી રહી છે. તેનું વાયરલ થયેલું ‘વિઠ્ઠલા’ પર્ફોર્મન્સ દુનિયાભરના સંગીતપ્રેમીઓને સ્પર્શી ગયું છે. લાઈવ પર્ફોર્મન્સની બાબતમાં પૂર્વા દેશની સૌથી શ્રેષ્ઠ અને પ્રભાવશાળી કલાકારોમાંની એક માનવામાં આવે છે.

ત્યારે સુરતમાં યશવી નવરાત્રી સાથે તેમનું જોડાવવું એ સુરતના ખેલૈયાઓ માટે પણ આનંદનો અવસર સાબિત થશે. તારીખ 11 ઓક્ટોબર, 2026 થી શરૂ થનારો આ નવરાત્રી ગરબા મહોત્સવ સુરતીઓ માટે પરંપરાગત આનંદ અને નવી ઊંચાઈઓ સર કરનારો બની રહેશે. આ વર્ષે યશવી નવરાત્રી માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ સુરતના ખેલૈયાઓ માટે એક અનોખો લ્હાવો સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button