એલ.પી. સવાની ગ્રુપ દ્વારા“સમત્વ: From burnout to balance: Rise above stress વિષય પર પ્રેરણાદાયી આધ્યાત્મિક સંવાદ યોજાયો
પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ તણાવમુક્તિ અને જીવન સંતુલનનો સંદેશ

સુરત: એલ.પી. સવાની ગ્રુપ દ્વારા શહેરમાં આધ્યાત્મિકતા અને આત્મવિકાસને પ્રોત્સાહિત કરતો એક વિશેષ કાર્યક્રમ “સમત્વ: થાકથી સંતુલન સુધી—તણાવથી ઉપર ઉઠો” વિષય પર યોજાયો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીની આદરણીય ઉપસ્થિતિ રહ્યા, જ્યાં તેઓએ પોતાના દિવ્ય આશીર્વાદ અને પ્રેરણાદાયી વિચારો દ્વારા 5000 જેટલા શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમના યજમાન તરીકે એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન માવજીભાઈ સવાણી , ડૉ. ધર્મેન્દ્ર સવાણી (વાઇસ ચેરપર્સન) અને શ્રીમતી પૂર્વી સવાણી (ડિરેક્ટર, એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતી હાજર રહી કાર્યક્રમની ભવ્યતા વધારી.
એલપી સવાની ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ 19 એપ્રિલ 2026ના રોજ સાંજે 5:30 વાગ્યે ડે’વિલા ક્રિકેટ ગ્રાઉન્ડ, એલ.પી. સવાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પાલ-હઝીરા મેઈન રોડ, ભાઠા, સુરત ખાતે યોજાયો.

આધ્યાત્મિકતા, માનસિક શાંતિ અને જીવનમાં સંતુલન મેળવવા ઈચ્છતા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં પાંચ હજાર થી વધુ લોકો એ ઉપસ્થિત રહી કાર્યક્રમ નો લાભ લીધો.



