આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું
આ શિલાન્યાસ વિધિ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રિય સ્ટીલ તથા હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી એચ. ડી. કુમારસ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી

હજીરા – સુરત, માર્ચ 23, 2026: આજનો દિવસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બન્યો છે, કારણ કે આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના રાજ્યપેટા ખાતે તેના નવા 8.2 મિલિયન ટન પ્રતિ વર્ષ (પર્યાવરણ મંજૂરી અનુસાર નિર્ધારિત ક્ષમતા) ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ માટે શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. આ પ્રોજેક્ટમાં અંદાજે રૂપિયા 70,000 કરોડથી વધુનું તબક્કાવાર રોકાણ કરવામાં આવશે. ઉપરાંત, પ્લાન્ટના સતત થતાં બાંધકામ અને વિકાસની સાથે લગભગ 1 લાખ સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે.
આ શિલાન્યાસ વિધિ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રિય સ્ટીલ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી એચ.ડી.કુમારસ્વામી, આંધ્ર પ્રદેશના ય ઉપમુખ્યમંત્રી કે.પવન કલ્યાણ, અને આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, માનવ સંસાધન વિકાસ (HRD), અને રિયલ-ટાઈમ ગવર્નન્સ મંત્રી નારા લોકેશની ઉપસ્થિતિમાં યોજાઈ.આ ઉપરાંત, લક્ષ્મી મિત્તલ, એક્ઝિક્યુટીવ ચેરમેન, આર્સેલરમિત્તલ, આદિત્ય મિત્તલ, ચેરમેન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા અને સીઈઓ આર્સેલરમિત્તલ તથા દિલીપ ઊમ્મેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આરસેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમે રાજ્યભરમાંથી નોંધપાત્ર ઉત્સાહ અને ધ્યાન આકર્ષિત કર્યુ છે. હજારો લોકો આ ક્ષણના સાક્ષી થવા હાજર રહ્યા હતા, જે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું દેશના સૌથી અદ્યતન સ્ટીલ ઉત્પાદન કરવાની સુવિધાઓમાંથી એક સ્થાપિત કરવાના સ્વપ્નને હકીકત કરવાની શરૂઆત છે. આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું શરૂઆતથી જ લક્ષ્ય રહ્યુ છે કે તેઓ પોતાની ઉદ્યોગની અગ્રણી ક્ષમતાનો ઉપયોગ કરીને ભારતમાં વર્ષ 2030 – 31 સુધી ઘરેલું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન કરવાની ક્ષમતા 300 MTPA સુધી વધારવા સમર્થન આપે, જે નેશનલ સ્ટીલ પોલિસીને અનુરૂપ હોઈ. નવી સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાની સાથે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ “country-first” એવું ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ્સ પણ રજૂ કર્યા છે. આર્સેલરમિત્તન નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દેશની પ્રથમ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક કંપની છે, જેને સ્ટીલ મંત્રાલય દ્વારા સ્થાપિત નવી ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી હેઠળ ગ્રીન સ્ટીલ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે.

રાજ્યપેટા ખાતે આકાર લેવા જઈ રહેલા નવા પ્લાન્ટમાં સ્ટીલ ઉત્પાદન કામગીરી કેલેન્ડર વર્ષ 2029ના પ્રથમ ત્રિમાસિક સુધી શરૂ થવાની યોજના છે, જ્યારે અન્ય યુનિટ્સ આગળના ત્રિમાસિકોમાં તબક્કાવાર રીતે તૈયાર થવાની સંભાવના છે. “વિકસિત ભારત 2047” ના વિઝન સાથે સુસંગત રહીને પ્લાન્ટમાં વિવિધ પ્રકારના સ્ટીલ ગ્રેડ્સનું ઉત્પાદન કરાશે. જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા, મૂલ્યવર્ધિત ઉત્પાદનોનો સમાવેશ થશે. જે ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરશે, આયાતમાં ઘટાડો અને ઉત્પાદન આધારને વધુ મજબૂત બનાવશે.
આ પ્રસંગે, આર્સેલરમિત્તન નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશ સરકાર સાથે બે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoUs) પર હસ્તાક્ષર કર્યા છે. આ MoUs નો હેતુ એ છે કે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા NAMTECH (New Age Makers’ Institute of Technology) સાથે મળીને આંધ્ર પ્રદેશમાં ભવિષ્ય માટે તૈયાર ઉદ્યોગલક્ષી ટેલેન્ટ ઇકોસિસ્ટમ ઊભી કરે, જેમાં અદ્યતન ટેકનોલોજી, મટિરિયલ્સ ઇનોવેશન, શિક્ષણ, અને વર્કફોર્સ ડેવલોપમેન્ટને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતો સાથે જોડી શકાય. NAMTECH આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની નોન-પ્રોફિટ શિક્ષણ અને સ્કિલિંગ પહેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું: “હું આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે આંધ્ર પ્રદેશને અભિનંદન પાઠવું છું. આ પ્રોજેક્ટનું શિલાન્યાસ વિશ્વસ્તરીય ઈન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટની શરૂઆત દર્શાવે છે, જે ભારતની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. આ આંધ્ર પ્રદેશના વિકાસ તરફના પ્રવાસમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે, જે રાજ્યના યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને રાજ્યને ઔદ્યોગિક નવીનતાના મોખરે લાવશે. આ સાથે જ ભારતને વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રમાં આગેવાન તરીકે વધુ મજબૂત બનાવશે.”
પ્રાસંગિક સંબોધન કરતાં, ચંદ્રબાબુ નાયડુ, મુખ્યમંત્રી, આંધ્ર પ્રદેશે જણાવ્યું હતું કે: “આ પ્રોજેક્ટ આંધ્ર પ્રદેશને એક મજબૂત રોકાણ સ્થળ તરીકે દર્શાવીને અને અમારા રાજ્યમાં વૈશ્વિક વ્યાપારનો વધતો વિશ્વાસ દર્શાવશે. આંધ્ર પ્રદેશ સરકાર આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને આ રોકાણ સાકાર કરવામાં સંપૂર્ણ સહયોગ આપશે, જે વિકાસ લાવશે, રોજગારી ઊભી કરશે અને રાજ્યને ભારતના ઔદ્યોગિક ભવિષ્ય માટે વધુ મજબૂત બનાવશે.”
એચ.ડી.કુમારસ્વામી, કેન્દ્રિય સ્ટીલ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રીએ જણાવ્યું હતું કે,: “ભારત — જે વિશ્વમાં બીજા ક્રમે સૌથી મોટું ક્રૂડ સ્ટીલ ઉત્પાદક દેશ છે — તેના લાંબા ગાળાની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના લક્ષ્યો તરફ વિકસિત ભારત 2047ના વિઝન હેઠળ આગળ વધી રહ્યું છે, ત્યારે આવા મોટા પ્રોજેક્ટ માટે સતત રોકાણ, અદ્યતન ટેકનોલોજી અને મજબૂત અમલીકરણ ક્ષમતાની જરૂર રહેશે. આ સહકાર વૈશ્વિક અનુભવ અને દેશની મહત્ત્વાકાંક્ષાને એક સાથે લાવી ભારતના સ્ટીલ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. હું આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે આ સુવિધા ભારતીય સ્ટીલ ઉદ્યોગના વિકાસ અને આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.”
લક્ષ્મી મિત્તલ, એક્ઝિક્યુટીવ ચેરમેન, આર્સેલરમિત્તલે જણાવ્યું કે: “આજે ભારત સાથેની અમારી ભાગીદારીનો નવો અધ્યાય શરૂ થાય છે, જે સંયુક્ત મહત્ત્વાકાંક્ષા અને લાંબા સમયથી ચાલતા વિશ્વાસ પર આધારિત છે. હું હવે પચાસ વર્ષથી સ્ટીલ ઉદ્યોગમાં છું, અને હું ઈમાનદારીથી કહી શકું છું કે ભારતમાં અમે જે બનાવી રહ્યા છીએ તે મારા આ 50 વર્ષના અનુભવમાં એક ખાસ મહત્વ ધરાવે છે. મને ખૂબ આનંદ છે કે અમે વિકસિત ભારત તરફના પ્રવાસમાં એટલું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છીએ, અને વિશ્વ સ્તરીય સ્ટીલ ઉત્પાદન થકી ટકાઉ વિકાસ અને દેશની આત્મનિર્ભરતા કેવી રીતે મજબૂત બનાવી શકાય તે દર્શાવી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ માટે સહયોગ આપનારા દરેક વ્યક્તિનો હું આભાર માનું છું અને આશા રાખું છું કે આ પ્રોજેક્ટ સ્થાનિક સમુદાયો અને સમગ્ર આંધ્ર પ્રદેશ માટે પરિવર્તન લાવનાર સાબિત થશે.”
આદિત્ય મિત્તલ, ચેરમેન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા અને સીઈઓ, આર્સેલરમિત્તલે જણાવ્યું હતું કે: “હું આંધ્ર પ્રદેશ સરકાર અને ભારત સરકારનો આભાર માનું છું, જેમણે આ પ્રોજેક્ટને સાકાર બનાવવા સતત સહયોગ આપ્યો છે. સ્ટીલ જીવનનો આધાર છે, અને આ નવા પ્લાન્ટ દ્વારા ભારતની સ્ટીલ ક્ષમતામાં વધારો કરવાની તક મળી છે તેના માટે અમને ગર્વ છે. આ પ્લાન્ટ દેશના સૌથી સ્પર્ધાત્મક અને આધુનિક પ્લાન્ટમાંનો એક બનશે. તેની સમુદ્ર કિનારે આવેલી લોકેશન અને દેશના સૌથી સમૃદ્ધ લોખંડની ખાણ વિસ્તાર સાથે સ્લરી પાઇપલાઇન દ્વારા સરળ જોડાણ તેને સ્ટીલ ઉત્પાદન માટે ઉત્તમ સ્થાન બનાવે છે. દક્ષિણ ભારત ઝડપથી વિકસતું બજાર છે અને આ પ્લાન્ટ પ્રદેશ તેમજ સમગ્ર ભારતના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરી શકશે. હવે બાંધકામ શરૂ થશે ત્યારે અમારી પ્રાથમિકતા હંમેશા સલામતીની રહેશે. હું આગળના દરેક મહત્વપૂર્ણ તબક્કાને જોવા અને તેની ઉજવણીઓ કરવા માટે આતુર છું. આ સુવિધા પૂર્ણ થયા પછી આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની સ્થિતિ દેશની અગ્રણી સ્ટીલ કંપનીઓ સૌથી મજબૂત બનશે.”
ટડાશી ઇમાઈ, રિપ્રેઝેન્ટેટિવ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઓઓ, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશને જણાવ્યું: “રાજ્યપેટાનો આ પ્લાન્ટ અમારી વૃદ્ધિના આગામી મહત્વપૂર્ણ તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. અમારું આ રોકાણ ભારત-જાપાન વચ્ચેના સંબંધોની ભાવનાને દર્શાવે છે — જે વિશ્વાસ, પરસ્પર સન્માન અને લાંબા ગાળાના વિકાસ માટેની સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે. ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા માત્ર એક પ્રોજેક્ટથી નક્કી થતી નથી, પરંતુ આવતા દાયકાઓમાં પણ અમે આ મહાન દેશ સાથે મળીને રોકાણ, નવીનતા અને વિકાસ કરતા રહીશું.”
તાકાહિરો મોરી, વાઇસ ચેરમેન, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન અને મેમ્બર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે: “ભારત લાંબા ગાળાના વિકાસ માટે મજબૂત પાયો નાખી રહ્યું છે, અને આ યાત્રામાં સ્ટીલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમે ગર્વ અનુભવીએ છીએ કે નિપ્પોન સ્ટીલ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા, ભારતની સ્ટીલ ક્ષમતા વધારવાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષામાં યોગદાન આપી રહ્યું છે. અમે ભારત સરકાર અને આંધ્ર પ્રદેશ સરકારનો સહયોગ બદલ આભાર માનીએ છીએ અને ભવિષ્યનું સાથે મળીને નિર્માણ કરવાની આશા રાખીએ છીએ.”
દિલીપ ઊમ્મેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આરસેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ જણાવ્યું હતુ કે: “આ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે ગૌરવની ક્ષણ છે. આ પ્રોજેક્ટ વિશ્વ સ્તરની સ્ટીલ ઉત્પાદન માટે અસરકારક આયોજન અને સહકારનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્લાન્ટ રોજગારી ઊભી કરશે, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપશે અને ઉદ્યોગ અને સમુદાય બંનેના વિકાસને સાથે લઈને આગળ વધશે. ‘સ્માર્ટર સ્ટીલ બ્રાઈટર ફ્યુચર્સ’ અને ‘બનાઉંગા મેં, બનેગા ભારત’ના અમારા સંકલ્પ સાથે, અમે આ પ્રોજેક્ટને ભારતના લાંબાગાળાના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન તરીકે જોઈએ છીએ.”
આ પ્લાન્ટને મજબૂત પર્યાવરણ વ્યવસ્થાપન યોજના હેઠળ બનાવવામાં આવશે, જે પર્યાવરણીય અસર ઓછી કરવા, સંસાધનોનું સંરક્ષણ કરવા અને પ્રોજેક્ટ વિસ્તારમાં બાયોડાયવર્સિટી વધારવા માટે આયોજન થયો છે, અને તે દર્શાવશે કે આધુનિક સ્ટીલ ઉત્પાદન કેવી રીતે ભારતના ડિકાર્બોનાઇઝેશન અને એનર્જી ટ્રાન્ઝિશનના માર્ગને ગતિ આપી શકે છે, તેમજ લાંબાગાળાના ઔદ્યોગિક વિકાસને સમર્થન આપી શકે છે. ઉપરાંત, કંપની પોતાના સમુદાય વિકાસ કાર્યક્રમોને પણ વિસ્તૃત કરશે જેથી સર્વસમાવેશક વિકાસ અને સહભાગી સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય.



